SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૬ ઠું. શ્રી દેવચંદ્રસુરિ પૂર્ણતલગ૭ના વિદ્વાન આચાર્ય શ્રી દતસુરિજી વાગડ દેશના વટપ્રદ નગરમાં વિહાર કરતા ગયા. જ્યાં યશોભદ્ર નામે રાણે રાજ્ય કરતા હતા. એના મહેલની પાસે ઉપાશ્રયમાં જેન સંઘે શ્રીદત્તસૂરિને ઉતારો આપે. પૂર્ણ ચંદ્રમાની રાત હતી. આ સમયે રાણાએ દુરથી મુનીઓને ઉપશ્રયમાં બેઠેલા જોયા. આથી પિતાને પ્રધાન જે જે ન હતું તેને તેણે પૂછયું કે આ મહાત્માએ કોણ છે ? ત્યારે તેણે કહ્યું કે “વિષમ વૃતનાં ધારણ કરનારા આ જૈનાચાર્યો છે, જેથી તેને શ્રધા ઉપન થઈ, અને સવારે તે વંદન કરવા ગયે. આ સુરિશ્રીએ યોગ્ય પાત્ર જાણી તેને ધાર્મિક દેશના સંભળાવી. જેની અસર રાણને સચોટ થઈ, અને રાહુની જૈન ધર્મ પ્રત્યે રૂચી ઉત્પન્ન થઈ. અહીં આ સુરિશ્રી એક માસ રહ્યા અને ત્યાંથી વિહાર કરી અન્ય સ્થાને ગયા. તેવામાં વર્ષાકાળ નજદીક આવી પહોંચે. રાણો દેવપુજા વિગેરે ધર્મ વ્યાપાથી સંસ્કારિક જીવન પસાર કરે છે. એવામાં સરદઋતુ આવી. એક દિવસ રાણો પશુષેત્ર જોવા ગયો. ત્યાં જંગલમાં ખેડુતો બાંટવાઓ બાળતા હતાં. તેમાં ગર્ભના ભારથી મંદ બનેલી એવી સપિણિને જવાળાઓથી દાઝેલી અને તરફડતી જોઈ. આથી રાણુને દયા ઉપજી, અને તેના હૃદયમાં વેરાગ્યની પ્રાપ્તિ થઈ. તેને એજ જાતની ઝંખના થઈ કે, અહા ! હે ! સંસારી ગૃહવાસનાને ધીકકાર છે ! કોને માટે આ પાપ મેં કર્યું છે? રાજપાટ પણ તેવું જ કપટના જાળ જેવું, અને નર્કગામી . તેથી સમસ્ત સંસારનો ત્યાગ કરવો જોઈએ. એ પ્રમાણેનો વિચાર કરી તે મહેલે આવ્યો. રાત્રે તેના પ્રાયક પ્રધાનને બેલાવી તેને ખાનગીમાં પુછયું કે મારા ધર્મગુરૂ શ્રીદરસુરિ કયાં વિચરે છે ? મંત્રીએ કહ્યું કે “ડીડું આણુકમાં ”? ત્યારબાદ પરિચિત સમુદાય સહિત, એક ઉત્તમ હાર સાથે લઈ રાણે ગુરૂના શરણે જઈ
SR No.023308
Book TitleMahan Gujaratno Suvarna Yug ane Kalikal Sarvagna Shree Hemchandracharya Charitra
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherPrachin Sahitya Sanshodhak Karyalay
Publication Year1949
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy