SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ [ મહાન ગુજરાત પણ નમવાની તૌયારીમાં હતુંએવામાં મહારાજાનું રક્ષણ કરતા એક સૈનિકે હાફળા ફાંફળા મહારાજા સનમુખ હાજર થઈ વદન કરી જણાવ્યું કે, “હે રાજન? હમણાં જ માહીતી મળી છે કે, દક્ષિણ વિભાગને દરવાજે પ્રચંડ મારને લીધે પડુ પડું થઈ રહ્યો છે. માત્ર મજબુન સાકળદંડ બંધનોને અંગેજ તે અત્યારે ટકી રહ્યો છે તો તે તરફ આ દરવાજે તેડવા હલ્લો કરશે. જેમાં આપને તરતજ યશ મળશે અને મહારાજાની ટેક પ્રમાણે માલવ નરેશ કેદ પકડાશે અને ધારા પડશે દીવ્ય પ્રભાવશાળી યુવાન સૈનીકના મુખમાંથી આ પ્રમાણેના સમાચાર સાંભળી મહારાજાએ પિતાને હાથી તે તરફ ફેરવવાની આજ્ઞા કરી. જોત જોતામાં મરણીયાં વીર સૈનીકે અને હસ્તીઓ સડ મહારાજા તે દક્ષિણ દરવાજે પહોંચી ગયા. જ્યાં તપાસતાં સમજાયું કે, તેની કે કીધેલ હકીકત સાવ સાચી છે. જેથી મહારાજાએ બળવાન લડાયક અને ઝનુની યશહપહ” નામના હાથી પર વિશ્વાસુ સામળ નામના મહાવતને તેની પીઠ થાબડી બેસાડયો, જેણે પિતાના માલીકને નમન કરી ગુર્જર પુત્ર તરીકે પિતાના જીવનની સાર્થકતા માની આજ્ઞાનું પાલન કર્યું, હાથીને રક્ષણાર્થે દરવાજાની બરાબર વચમાં એક શકિતશાળી ઊ તને આડ તરીકે વચમાં રાખી, હાથીના પાછલા ભાગમાંથી દરવાજાના ત્રીપલીના પટ પર જોરથી ધકકા મરાવ્યા. પ્રરીણામે અંદરની નબળી થએલ સાકળ ભાંગી, અને દરવાજો ખુલી ગયો આ દરવાજે મહારાજા ભોજે ભાગોળના રક્ષણાર્થે મજબુત બનાવ્યું હતું. છતાં, બળવાન દૈવિક શકિત ધરાવનાર હાથીના બળના કારણે તે ધતિ હાથીની પીઠ પર પડ્યો, અને વફાદાર દેવાંશી પ્રાણ તેમજ શામળ મહાવતનું આમ બલીદાન થયું. મહારાજાએ તેજ દીવસે સુર્યાસ્ત : પૂર્વે નગર પ્રવેશ કર્યો આ પ્રમાણે ગુર્જરરાજની ટેક સોમનાથ મહાદેવ સાચવી. . | માલવપતિ મુંજના સમયથી માલવના પરમારે જે સોલંકી રાજવીઓ સાથે વેર રાખતા હતા તેને આ પ્રમાણે અંત આવ્યો. તેજ રાત્રિએ મહારાજાને સ્વપ્નમાં સેમેશ્વર મહાદેવે દર્શન દીધા. રાજવીને દક્ષિણ દરવાજે હલ્લે કરવાનું સુચન આપનાર સૈનીક તરીકે પોતે જ સૈનીકના રૂપમાં હાજર હતા. તેમજ મહારાજાના પૂન્યનું હરણ કરનાર ગરવીષ્ટ રાજવીને હરાવવાને, તેમજ પિતાના પરમ ભકતના ટેકના રક્ષણાર્થે, યશપ હસ્તિમાં દૈવીક શકિતનું
SR No.023308
Book TitleMahan Gujaratno Suvarna Yug ane Kalikal Sarvagna Shree Hemchandracharya Charitra
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherPrachin Sahitya Sanshodhak Karyalay
Publication Year1949
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy