SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ૬) તપ પ્રાયશ્ચિત્ત - પાપોની ગંભીરતા વધુ હોય ત્યારે આયંબિલઉપવાસાદિ જે તપ ગુરુ આપે તે કરવાથી જ પાપો ધોવાય. ૭-૮) છેદનું મૂલ પ્રાયશ્ચિત્ત - શરીરના કોઇ ભાગમાં ગંભીર બીમારી લાગુ પડતા ઓપરેશન કરીને તે ભાગ છેદી નાખવામાં આવે છે, તેવી જ રીતે વધુ ગંભીર પાપ થતાં સાધુ / શ્રાવક દ્વારા કરાયેલી આરાધનાનો એક ભાગ અથવા સંપૂર્ણ આરાધના પાપની શુદ્ધિ ખાતે ખતવી નાંખવી. ચારિત્રના વર્ષો વગેરે ઓછા કરવા અથવા ફરીથી દીક્ષા આપવી. ૯-૧૦) અનવસ્થાપ્ય અને પારાંચિત - આ બંને પ્રાયશ્ચિત્તનો વિચ્છેદ થવાથી અત્રે માહિતી આપી નથી, અતિ ગંભીર પાપ થયું હોય, તો જ આ પ્રાયશ્ચિત્ત પૂર્વેના કાળમાં અપાતું હતું. આપણે પણ ગીતાર્થ ગુરુ પાસે વિશુદ્ધ આલોચના (ભવ આલોચના) લઇ આત્માને ઉજ્જવળ બનાવી મુક્તિમાં સ્થાપિત કરવા ગતિશીલ બનવું જોઇએ. ૬ 52.
SR No.023305
Book TitleSetu Sansarthi Muktino
Original Sutra AuthorN/A
AuthorKrupabodhvijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy