SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવે બધું જ બોલી નાખે છે, તેવી જ રીતે શિષ્ય માયા-મદ આદિ દોષોથી મુક્ત થઇ સરળભાવે બધી જ વસ્તુની આલોચના ગીતાર્થ ગુરુ સમક્ષ કરવી જોઇએ.) सोही उज्जुयभूयस्स, धम्मो सुद्धस्स चिट्ठइ । નિવાઈ પર નાફ, ઇયસિત્તત પાવણ || (૨૩). શુદ્ધ આત્મામાં જ ધર્મ રહે છે અને શુદ્ધિ સરળ બનેલા આત્મામાં જ રહે છે. આવો સરળઆત્મા ઘીથી સિંચાયેલા અગ્નિની જેમ શ્રેષ્ઠ | ઉત્કૃષ્ટ નિર્વાણને પામે છે. આ ઉપરાંત મરણસમાધિ પયત્રામાં ૧૦ પ્રકારના આલોચનાના દોષસ્થાન બતાવ્યા છે, તેનો ત્યાગ કરીને આલોચના લેવી જોઇએ. आकंपण १) अणुमाणण २) जंदिढ ३) बायरं च ४) सुहुमं च ५) छन्नं ૬) સવારના ૭) વહુના ૮) અવર 9) તસ્કેવી ૧૦) JI (૧૨૩). आलोयणाइ दोसे दस दुग्गइवट्ठणा पमुत्तुणं । માતોષ્ણ સુવિદિ પરવાયાવિહૂછો (૧૨૪) ૧) ધુણતા ધુણતા બોલવું. ૨) નોંધ ન કરી હોવાથી અનુમાનથી કહેવું. ૩) જે દોષને કોઇએ જોયા હોય તે જ કહેવા. ૪) મોટા મોટા દોષ જ કહેવા. ૫) નાના નાના દોષ જ કહેવા. ૬) કોઇને ખ્યાલ ન આવે તેમ આલોચના લેવી. ૭) ખૂબ અવાજ થતો હોય ત્યારે કહેવું. ૮) બહુ લોકો હોય ત્યારે કહેવું. ૯) અસ્પષ્ટપણે જણાવવું. ૧૦) આલોચનાદાતા જે દોષ સેવતા હોય તેની જ આલોચના લેવી. ઉપરોક્ત બધા દોષ પ્રાયશ્ચિત્ત ઓછું મળે તેના માટે સેવાય છે. દુર્ગતિને વધારનારા આ આલોચનાના દશ દોષોને છોડીને ગારવ-માયા અને અહંકારથી મુક્ત થઇ સદાચારી મુનિએ આલોચના લેવી જોઇએ. અજૈન સાહિત્યમાં એવી વાત આવે છે કે રોજ પ્રાર્થના કરીને પછી જ સૂવાના નિયમવાળા ધર્મગુરુ એકવાર અતિશય થાકના કારણે પ્રાર્થના ક્ય વિના સૂતા, ત્યારે રાત્રે શેતાન જગાડી પ્રાર્થના કરવાનું યાદ કરાવે છે. પ્રાર્થના બાદ શેતાન હોવા છતાં જગાડવાનું કારણ પૂછયું ત્યારે શેતાને જણાવ્યું કે – ભૂતકાળમાં આવી જ રીતે એકવાર પ્રાર્થના કરવાની રહી ગઈ હતી ત્યારે તમે બીજે દિવસે એટલો બધો પશ્ચાત્તાપ કરેલો કે પ્રાર્થના ન કરવાના પાપ સાથે
SR No.023305
Book TitleSetu Sansarthi Muktino
Original Sutra AuthorN/A
AuthorKrupabodhvijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy