________________
બને, એમના માટે શાસનપ્રભાવના જ મહત્ત્વની, કારણ કે તેઓ નિયમથી વચનલબ્ધિવાળા હોય છે...
ચારેયમાં બધા ગીતાર્થ જ હોય, કેમકે આટલો અભ્યાસ હોય, એ ગીતાર્થ જ હોય.
• ચારેયમાં સાધ્વીઓ નહિ, કેમકે સાધ્વીજીઓને દૃષ્ટિવાદ અંગનો નિષેધ છે, અને પૂર્વો તો એમાં જ આવે છે, અને પૂર્વોના અભ્યાસ વિના આ કલ્પ સ્વીકારી શકાય નહિ. વળી દરેકમાં જે અમુક વિશિષ્ટ પ્રકારનો આચાર છે, એ સાધ્વીજીઓને શીલરક્ષાદિને લીધે શક્ય નથી.
• ચારે ય વિરકલ્પની બહાર ગણાય. - ચારેયમાં પ્રથમ સંઘયણ જરૂરી !
ચારેયમાં એકાંતે ચારિત્રપરિણામની હાજરી ! કોઇપણ મુનિ આ કલ્પમાં નિષ્ફળ ન જાય, કેમકે વિશિષ્ટ જ્ઞાનથી બધું જોઇ લીધા બાદ જ આ કલ્પનો સ્વીકાર કરાય છે.
• પ્રાયઃ ચારેયમાં સત્ત્વ, ચુત, એકતાદિ પાંચ ભાવનાઓ ભાવવામાં આવે છે, ભાવના એટલે અભ્યાસ ! એ એકદમ વ્યવસ્થિત થઇ ગયા બાદ આ કલ્પ સ્વીકારવામાં આવે છે.
આવી બીજી પણ અનેક સમાનતાઓ જાણી-વિચારી શકાય છે. સ્થવિરકલ્પ અને જિનકલ્પાદિ વચ્ચે તફાવત
• સ્થવિરકલ્પમાં ઉત્સર્ગ અને અપવાદ બંનેનું આચરણ હોય. જ્યારે આ ચારમાં એમનો પોતપોતાનો નક્કી થયેલો આચાર જ પાળવાનો હોય. ગમે તેવી પરિસ્થિતિમાં પણ એમાં છૂટ લેવાની હોતી નથી.
• સ્થવિરકલ્પમાં અગીતાર્થો પણ હોય, આ ચારમાં એકે ય ન હોય. • સ્થવિરકલ્પમાં સાધ્વીજી હોય, આ ચારમાં ન હોય.
• સ્થવિરકલ્પમાં કલ્પોપન્ન દેવો જેવી વ્યવસ્થા છે. એટલે કે અમુક નાના, અમુક મોટા.. વગેરે ! આ ચારમાં કલ્પાતીત દેવો જેવી વ્યવસ્થા છે, બધા સરખા ! પરિહારિકમાં જે જે વાચનાચાર્યાદિ ભેદ છે, એ માત્ર એવી આચાર વ્યવસ્થા જ છે, પરમાર્થથી બધા સરખા જ છે.
• સ્થવિરકલ્પમાં દરેક મુનિને ચારિત્રપરિણામ હોય જ એવું જરૂરી
”
—૧ ૬૬
છે
—જેન સાધુ જીવન...