________________
વસ્તુ લેતી વખતે જોઇને અને પૂંજીને પછી લેવું. એમ મૂકતી વખતે પણ સમજી લેવું.
૪. ઇર્યાસમિતિ : નીચે સાડાત્રણ હાથની જગ્યામાં બરાબર જોઇને
ચાલવું.
૫. ગોચરી વહોરતી વખતે એ દરેક ખાદ્ય વસ્તુ બરાબર જોઇ લેવી કે ‘એમાં કોઇપણ નાના-મોટા જીવ નથી ને ?' એમ પાણી માટે પણ સમજી
લેવું.
(૨) દ્વિતીયમહાવ્રત ઃ
૧. સાચું કે ખોટું કોઇપણ વાક્ય હાસ્યથી પ્રેરાઇને ન બોલવું. ૨. સાચું કે ખોટું કોઇપણ વાક્ય લોભથી પ્રેરાઇને ન બોલવું. ૩. સાચું કે ખોટું કોઇપણ વાક્ય ભયથી પ્રેરાઇને ન બોલવું. ૪. સાચું કે ખોટું કોઇપણ વાક્ય ક્રોધથી પ્રેરાઇને ન બોલવું.
૫. જે કંઇપણ બોલવું, એ પૂર્વે બરાબર વિચારીને જ બોલવું. વિચાર્યા બાદ એમ લાગે કે આમાં કોઇ નુકસાન નથી, ફાયદો છે...તો બોલવું..
(૩) તૃતીય મહાવ્રત ઃ
૧. ઉપાશ્રયાદિના માલિકની સાથે વાતચીત કરીને, એની પાસે તે તે વસ્તુની યાચના કરવી કે ‘અમે આ વાપરીએ ?' રજા વિના કશું ન વાપરવું. ૨. એકવા૨ સંમતિ લીધા બાદ પણ તે તે અવસરે ફરી યાચના કરી લેવી કે ‘અમે અહીં રોકાઇએ, આ વસ્તુઓ વાપરીએ...તેમાં તમને પ્રસન્નતા છે ને ? કંઇપણ મુશ્કેલી નથી ને ?' આ પ્રમાણે પુનઃ પુનઃ પૃચ્છા કરીને એની પ્રસન્નતા જાણી લેવી.
ટુંકમાં કોઇપણ વચન બોલતી વખતે અંતરમાં હાસ્ય, લોભ, ભય કે ક્રોધનો ભાવ તો
૩ર
નથી ને ? એ ચકાસવું.
એ ભાવ કાઢી નાંખીને
જ બોલવું.
એમ ઉપાશ્રયમાં રોકાઇ ગયા બાદ કોઇક અન્ય વસ્તુઓની પણ જરૂર પડે, તો એમ ન વિચારવું કે ‘ઉપાશ્રયની રજા મળી ગઇ, એટલે બધી વસ્તુ વાપરી શકાય...' પણ ઉપાશ્રયમાં રહેલી જે જે વસ્તુની રજા પૂર્વે લીધી ન હોય,
જૈન સાધુ જીવન...