SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ છે. ઘાસને મૂળમાંથી ઉખડતી નથી. ભમરાઓ બધા ફુલોમાંથી થોડું થોડું મધ ચૂસે છે. તેમ સાધુ ભગવંતો ગૃહસ્થોના ઘરોમાંથી થોડી થોડી ભિક્ષા લે છે, બધું લઇ લેતા નથી. (૭) અણગાર - અગાર એટલે ઘર. સાધુ ભગવંતોએ ઘરને છોડ્યું છે. તેથી તેમને અણગાર કહેવાય છે. (૮) યતિ - સાધુ ભગવંતો હંમેશા મોક્ષ માટે યત્ન કરે છે. તેથી તેમને યતિ કહેવાય છે. સાધુપણુ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ - આ ત્રણેમાં વ્યાપક છે. આચાર્ય પણ પહેલા સાધુ હોય છે, પછી આચાર્ય બને છે. આચાર્ય બન્યા પછી પણ તેમનામાં સાધુપણું તો હોય જ છે. ઉપાધ્યાય પણ પહેલા સાધુ હોય છે, પછી ઉપાધ્યાય બને છે. ઉપાધ્યાય બન્યા પછી પણ તેમનામાં સાધુપણું તો હોય જ છે. સાધુ ભગવંતોમાં તો સાધુપણું હોય જ છે. આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ - આ ત્રણે પ્રકારના ગુરુ ભગવંતો આપણા કરતા ઘણા ઘણા મહાન છે. માટે આપણે ખૂબ ભક્તિભાવપૂર્વક એમની ઉપાસના કરવી જોઇએ. સમર્પણમ્
SR No.023299
Book TitleSamarpanam
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy