SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ ]. | ત્રણ છત્રની વિચારણા ઉપર ઉપર છે એટલી જ વાત કરી પણ એમને ત્રણ છત્રનાં ક્રમ કે તેનાં માપ (સાઈઝ) બાબતમાં જરાપણ ઈશારે કર્યો નથી. આગમશાસ્ત્રો, આગમના ટીકાકારે, શ્રી હેમચંદ્રાચાર્યજી, શ્રી વિનયવિજયજી તથા અન્ય ગ્રન્થ એક જ સરખી એક જ વાત કરે છે પણ છત્રનાં ક્રમ કે મા૫ અંગે કઈ જ વાત, સૂચન કે સકેત કંઈ જ કરતાં નથી તે વાત જોઈએ બાળકનાં ઘેડિયાં ઉપર બાળકને આનંદ મળે માટે રમકડાં રૂપે ગળાકારે લાકડાનાં ત્રણ ગુમખાં લટકાવેલાં હોય છે. તેવી રીતે છેત્રે આડાં લટકાવવાનાં નથી પણ દાદરનાં પગથિયાંની જેમ ઊર્ધ્વ ભાગે એક પછી એક ઉપર જતાં સમજવાનાં છે. ફક્ત એ એક જ અર્થને ખ્યાલ આપવા આગમમાં માત્ર “છત્તાતિછન્ન” શબ્દ વાપર્યો. આગમમાં જે વાત જણાવી હોય એને જ બીજા ગ્રન્થકારે અનુસરે એટલે શ્રી હેમચંદ્રાચાર્યજીએ વિતરાગસ્તોત્રમાં “કર્થ કર્થ” શબ્દ વાપર્યો. સમવસરણસ્તવકારે પણ “તદુપર' (૧૩છત્તતિચા) ઉલ્લેખ કર્યો છે. આથી નિર્વિવાદ અને નિઃશંકપણે કઈ પણ ગ્રન્થકારો ફક્ત ઉપરાઉપરી ત્રણ છત્ર છે એટલી જ વાત કરીને અટકી ગયા છે. કેઈએ પણ છત્રનાં ક્રમ અને માપ બાબતમાં ઈશારે, સકેત કે સૂચન કશું કર્યું નથી.
SR No.023287
Book TitleTirthankaroni Prashnatrayi
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamalmohan Jain Gyanmandir
Publication Year1993
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy