SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૬] 1. ૨. તીર્થકરદેવની કેશમીમાંસા તીર્થકર લોકોત્તર વ્યક્તિ છે એટલે તેમની કાયાની કેટલીક વિશેષતાઓ છે. તે કરતાંય હવે તેઓ દેથી વંદનીય, પૂજનીય બન્યા હેવાથી પિતાની જવાબદારી અદા કરવા અને પિતાના આત્મકલ્યાણ માટે ભગવાનની ભક્તિમાં અનન્યભાવે તલ્લીન રહે છે. તીર્થકરને આચારસંહિતા સ્વતંત્ર સંહિતા છે. તેની સરખામણી કેઈની સાથે કરવાની હોતી નથી. કારણ કે તીર્થકર નામકર્મ એમણે જે બાંધ્યું છે તે એવું બાંધ્યું છે કે તેનાં કારણે અનેક વિશેષતાઓ તીર્થકરેના જીવનમાં ઊભી થવા પામે છે. આ બીજા લેખમાં તીર્થકદેવના વાળ અંગે વિચારણા કરવામાં આવી છે તીર્થકરે માટે એ વાત છે કે તીર્થકરે દીક્ષા લેતી વખતે સ્વહસ્તે માથાના વાળ કાઢી નાંખે છે. તે પછી જેટલા વાળ માથા ઉપર જે કંઈ અવશેષ રહ્યાં હોય તેમાં જીવનપર્યન્ત ઓછાવત્તા થતા જ નથી, એવું વીતરાગસ્તોત્રના ટીકાકાર કહે છે એમ ધણુ સાધુઓ-શિક્ષકે યથાર્થ સમજના અભાવે સમજે છે, પણ એ સમજ બેટી છે. કેમકે કેટલાક દાખલા અને આગમના ઉલ્લેખ અત્યન્ત સ્પષ્ટ રીતે એમ જણાવે છે કે તીર્થંકરદેવને દીક્ષા લીધા પછી પણુ વાળ વધતા હતા અને કેવળજ્ઞાન થયા પછી જ્યારે ભગવાન સમવસરણમાં પહેલીવાર બિરાજે ત્યારે મસ્તકની શોભા વાળથી છે તેથી જેનારાને ભગવાન સુંદર લાગે માટે ઈન્દ્ર મહારાજા ભગવાનના મસ્તક ઉપરના અને દાઢી-મૂછના વાળને પણ પિતાની દૈવિક પ્રભાવક શક્તિથી સુંદર બનાવી દે છે અને એ વાળ ઠેઠ નિર્વાણ થતાં સુધી વિદ્યમાન રહે છે : મેં મારા લેખમાં દીક્ષા લીધા પછી કેવલજ્ઞાન થાય ત્યાં સુધી
SR No.023287
Book TitleTirthankaroni Prashnatrayi
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamalmohan Jain Gyanmandir
Publication Year1993
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy