SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૩ - આ પરંપરા અક્ષુણ–એકધારી સર્વમાન્ય રીતે ૨૫૦૦ વર્ષથી ચાલી આવી છે. જેનસંઘ માટે એક સુખદ બાબત છે. પૂરવણ ન, ૩ પ. પૂ. આચાર્ય શ્રીમાન વિજયરામચંદ્રસૂરિજી મહારાજે છત્ર અંગેની સંમતિ આપતા પોતાના પત્રમાં કરેલી એક માર્મિક અને પ્રેરક કેર શેઠ મોતીશા લાલબાગ જૈન ઉપાશ્રયમુંબઈ સં. ૨૦૪૪, કિં. જેઠ સુદિ ૧૦, શનિવાર નેધ:-પરમ શાસનપ્રભાવક પરમપૂજ્ય આચાર્ય શ્રીમવિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજશ્રીની મારા ઉપર વરસોથી અંતરની લાગણી અને મધુરપ વર્તતી હતી. તેઓશ્રી સાથે મારો અંગત સંબંધ અને આત્મીય નાતો લગભગ પચીસેક વર્ષથી હતો. જન્માંતરના કંઈક ઋણાનુબંધ હતા એટલે તેઓશ્રી પ્રત્યે મને ઘણું આદરમાન હતા અને તેઓશ્રી પણ મારા પ્રત્યે આદર સભાવ દાખવતા હતા, અમારી વચ્ચે ઘણી ઘણી વાત, વિચારોની આપ-લે થઈ છે. પરસ્પરની કેટલીક ગેરસમજે પણ વાર્તાલાપને અને દૂર થવા પામી હતી. તેઓશ્રી સાથેની પ્રશ્નોત્તરી, વાર્તાલાપ તથા બીજાં જે કંઈ સંસ્મરણો છે તે અંગે સમય મળે લખવા ધારું છું. તેઓશ્રી સં. ૨૦૪૪માં મુંબઈ–શેઠ મોતીશા લાલબાગ જન ઉપાશ્રયમાં બિરાજમાન હતા, ત્યારે ત્રણ છત્ર અંગેની મારી સમજ, મારી માન્યતા અને એ અંગે સત્ય શું છે? તે માટે મેં બે થી ત્રણ નિવેદને લેખરૂપે તથા શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સમાજના અન્ય અનેક પ્રધાન આચાર્યો ઉપર તથા સ્થાનકવાસી, તેરાપંથી દિગબર સમાજ માટે આ વાત ચર્ચાનું અસ્તિત્વ ન ધરાવતી હોવાથી પ્રસ્તુત લેખ મેકો ન હતો.
SR No.023287
Book TitleTirthankaroni Prashnatrayi
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamalmohan Jain Gyanmandir
Publication Year1993
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy