________________
૬૮ ]
[ તીર્થકરદેવની કેશમીમાંસા ટીકા વાંચનારા સહુએ દઢપણે તે માની લીધું પણ હવે વાચકે આ વાત ઉપર પુનઃ તટસ્થભાવે બરાબર વિચાર કરે.
આગમકારે તે કેવળજ્ઞાન થાય ત્યારે જ તે પહેલાં કયારેય નહીં) ઈન્દ્ર મહારાજા ભગવાનને પિતાની દૈવિક શક્તિથી મસ્તક, દાઢી, મૂછ વગેરેની રચના કરી નાંખે ત્યારથી વાળ વગેરેની હંમેશાને માટે અવસ્થિતિ થઈ જાય છે પછી ઓછાવત્તા થવાપણું રહેતું નથી. આ વાત શ્રી હેમચંદ્રાચાર્યજી ભગવંતને સંપૂર્ણ માન્ય હતી અને તેના પુરાવામાં આ લેખમાં શ્રી હેમચંદ્રાચાર્યજીના ત્રિષષ્ઠી ગ્રન્થને એક અભિપ્રાય તે ટાંકે અને હવે શ્રીમદ્ હેમચંદ્રાચાર્યજીના બીજા અભિપ્રાયની પણ નૈધ આપું.
પુરાવો–શ્રી હેમચંદ્રાચાર્યજીએ સ્વરચિત ત્રિષષ્ટીશલાકાચરિત્ર ગ્રન્થમાં કેવલી ભગવાનને વાળ અને તે કુટિલવાંકડિયા હતા એ વાત તેઓશ્રીએ શ્રી સુવિધિનાથ ચરિત્રના ૭૦ મા શ્લોકમાં ઈન્દ્ર મહારાજા ભગવાનની સ્તુતિ કરતાં જણાવે છે.
'कौटिल्यं चेत् त्वया मुक्तं किं केशाः कुटिलास्तव ? ॥७॥
અર્થ:-સમવસરણની અંદર બિરાજમાન થએલા શ્રી સુવિધિનાથ ભગવાનનું મુખારવિંદ જોઈને સ્તુતિ કરતા ઈન્દ્ર મહારાજા બેલે છે કે ભગવાન ! આપે કુટિલતાને છોડી દીધી છે તે પછી આપના કેશ કેમ કુટિલ છે? ” કુટિલ એટલે
૧. આ શ્લેકને પૂર્વાર્ધ_ . वीतरागोऽसि चेद् रागः पाणिपादे कयं तव ?