SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ ] [ તીથંકરદેવની કેશમીમાંસા પૂજ્ય ગુરુદેવ સાથે ચર્ચા-વિચારણા કરતાં પરિસ્થિતિને તેલ કરીને અત્યારે તે વાળ વિનાનાં જ ચિત્રો ચિતરાવવાં તેવા નિય લીધે, અને તે મુજબ ભગવાન શ્રી મહાવીરનું ચિત્રસંપુટ તૈયાર કર્યું. ચિત્રસંપુટ બહાર પડયા પછી કેટલાક અનુભવી વિદ્વાને, ચિંતાના કાગળો આવેલા કે ભગવાન મહાવીરનાં બધાં જ ચિત્રા વાળ વિનાનાં અનાવરાવ્યાં તેા વાળવાળાં પણ થાડાં બનાવરાવ્યાં હોત તે સારૂં થાત. પછી વરસે વીત્યા બાદ ભગવાન શ્રી મહાવીરજીની ત્રીજી આવૃત્તિ વિ. સં. ૨૦૩૮માં પ્રગટ કરવાના નિર્ણય કર્યાં ત્યારે ભગવાનનાં ઘેાડાંક ચિત્રો વાળવાળાં બનાવવાં કે કેમ ! એ વિચાર ઠીક ઠીક રીતે મારા મનમાં ધેાળાતા રહ્યો ત્યારે મે નક્કી કર્યુ કે હવે ભગવાનના કેશ (વાળ)ની બાબતમાં સંશાધન કરી લેવુ એટલે થોડો થોડો સમય મેળવીને એ કામ કરતા રહ્યો. છદ્મસ્થાવસ્થામાં પણ વાળ હતા, લાચ પણ થતા હતા વગેરે શાસ્ત્રોનાં પુરાવા ઉપલબ્ધ થયા. એમાં સૌથી પહેલા આચારાંગના પુરાવા સચોટ મળ્યા, પછી મને થયું કે જુદા જુદા સંધાડાના આચાર્યા અને અન્ય વિદ્વાન સાધુઓને લેખિત મારા વિચાર જણાવવા અને તેમના અભિપ્રાય મેળવવા, આથી મને પણ નિણ્ય કરવામાં સહાયતા મળશે. વળી કોણ વ્યક્તિ આવી બાબતમાં અભ્યાસી છે તેની પણ જાણકારી મળી રહેશે એમ એ લાલ થશે, એટલે એ દિશામાં મેં આચારાંગના પુરાવા ઉપર ‘ એક વિચારણીય પ્રશ્ન ” નામના લેખ તૈયાર કર્યાં અને તેઓને માકલી આપ્યા. પાંચ-સાત વ્યક્તિના જવાએ મલ્યા પણ તે બહુ વજુવાળા ન હતા. છેવટે મારી મેળે મારે આગળ વધવું ૧. ઉપધાન શ્રુત. અધ્યયન ૯, ૩. ૧, ગાથા-૮.
SR No.023287
Book TitleTirthankaroni Prashnatrayi
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamalmohan Jain Gyanmandir
Publication Year1993
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy