________________
....નળાખ્યાનનું પગેરું / ૮૯
કાઈથી ન બની શકે એવાં કામ વિશે પણ તમારે ત્યાં રહીને યત્ન કરીશ. માટે તમે મારું ભરણુપેાષણ કરે. ' ઋતુપર્ણે કહ્યું કે, હે બાહુક ‘તારું કલ્યાણ થાઓ ને હું તારા કહેવા પ્રમાણે સ` કરીશ એમ મને ભરાસા છે. પણ મારા રથના અશ્વો ઘણા જલદીથી ચાલે એવી મને બુદ્ધિ સદૈવ રહે છે. માટે તું જેવી રીતે મારા અશ્વો ઘણા જલદીથી ચાલે એવા ઉપાય કર. હું તને એક માસના દશ હજારના સિક્કા પ્રમાણે પગાર આપીશ. ’
( ભાષાંતર )
*
શિલ્પકામ જાણું અમિ રે, ખીન જાણુ ઘણાં હું કામ; ભરણુપેાષણ કરી રાખશે રે, તે હું રહું આ ઠામ ઋતુપર્ણ કહે સુખે રહેા રે, મનગમતું કરીશ કાજ; પણ અશ્વ રથના ચાલે ઘણા રે ઈમ કરજો કહે રાજ. ૨૪-૬ દશ સહસ્ર નિષ્ઠ તુજને રે, હું આપું પ્રતિ માસ; વાણૅય આદિ સારથી રે, સહુ થાશે તારા
દાસ, ૨૪-૭
( નળાખ્યાન )
૨૪–૧
"
'
અહીં ભાષાન્તરકારે ભાષાન્તરમાં એક માસના ' એવા શબ્દો પોતાના તરફથી ઉમેર્યા, તેને અનુસરી · નળાખ્યાન 'કારે પણ ‘પ્રતિ માસ ' શબ્દ મૂકો.
'
આ પછી ઋતુપણું બાહુકને અક્ષવિદ્યા આપે છે ત્યાંથી તે અંત સુધી ‘ નળાખ્યાન 'કારે દસેક કડીમાં કથા આટાપી લીધી છે એટલે તેમાં ભાષાન્તર સાથે કશું' સરખાવવાનું રહેતુ નથી,
આ પુરાવા. પછી ‘નળાખ્યાન'કારે પોતાની કૃતિની રચના મહાભારતના આ અર્વાચીન સમયના ભાષાન્તર પરથી કરી છે એ વિશે કાઈને જરા સરખી પણુ શંકા રહેશે નહિ. ‘નળાખ્યાન'કારે કૃતિને