SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ર૭૪ | પડિલેહારાસ (૬૮) કલ્યાણકૃત કૃતક રાજાધિકાર રાસ (૬૮) કમલમેરુકૃત કલાવતી એપાઈ (૭૦) મતિસાગરકૃત લઘુ ક્ષેત્ર સમાસ ચોપાઈ; સંગ્રહણ રાસ (૭૧) પુણ્યરત્નકૃત નેમિરાસ (યાદવ રાસ) (૨) વિનયસમુદ્રકૃત આરામશોભા એપાઈ; મૃગાવતી ચોપાઈ; ચિત્રસેન પદ્માવતી રાસ; પદ્મચરિત્ર; રોહિણેય રાસ (૭૩) કનકકૃત મેઘકુમાર રાસ (૭૪) રાજરત્નસૂરિકૃત હરિબલ માછી પાઈ (૭૫) ભાવકૃત હરિશ્ચન્દ્ર પ્રબંધ; અંબડ રાસ. સેમવિમલસૂરિ સેમવિમલસૂરિ ઈ.સ. ના સેળમા સૈકાના એક પ્રતિભાશાળી આચાર્ય હતા. ઈ.સ. ૧૫૧૮માં તેમણે તપાગચ્છના હેમવિમલસૂરિ પાસે દીક્ષા લીધી હતી. સેમવિમલસરિના શિષ્ય આણંદમે ઈ.સ. ૧૫૬૩માં સેમવિમલસૂરિ રાસ ની રચના કરી છે, જેમાં સેમવિમલસૂરિના જીવન વિશેની માહિતી સચવાયેલી છે. સામવિમલસૂરિનું નામ દીક્ષા પૂર્વે જસવંત હતું અને તેઓ ખંભાતના સમધર મંત્રીના વંશજ રૂપવંતના એ પુત્ર. એમની માતાનું નામ અમરાદે. શિરોહીમાં પંડિતપદ, વિજાપુરમાં ઉપાધ્યાયપદ મેળવ્યા પછી ખંભાતમાં આચાર્ય પદવી સેમવિમમ રિએ મેળવી હતી અને ઈ.સ. ૧૫૮૧માં તેઓ કાળધર્મ પામ્યા હતા. :-- સેમવિમલસૂરિએ “શ્રેણિક રાસ,” “ધમ્મિલ રાસ,” “ચંપક શ્રેષ્ઠી રાસ,” અને “ક્ષુલ્લક કુમાર રાસ' એ ચાર રાસકૃતિઓ ઉપરાંત “કુમારગિરિમંડળ” “શ્રી શાંતિનાથ સ્તવન,” “દસ દષ્ટાંતનાં ગીત,” પદાવલિ સઝાય, “ચસિમા શબ્દના ૧૦૧ અર્થની સજઝાય” ઇત્યાદિ પદ્યકૃતિઓની રચના કરી છે. આ ઉપરાંત એમણે ગુજરાતી ગદ્યમાં “કલપસૂત્ર બાલાવબોધીની રચના પણ કરી છે. શ્રેણિકરાસ–મવિમલસૂરિએ ઈ. સ. ૧૫૪૭માં કુમારગિરિનગરમાં “શ્રેણિક રાસની રચના કરી છે. એની કર્તાના હસ્તાક્ષરમાં
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy