________________
ર૭ર | પડિલેહ અન્ય કવિઓઃ
ઈ.સ. ૧૪૫૦ થી ૧૫૫૦ સુધીના સે વર્ષના ગાળાના મહત્વના કેટલાક કવિઓ અને એમની કૃતિઓને પરિચય મેળવ્યો. આ ગાળામાં બીજા સંખ્યાબંધ કવિઓએ રાસ, ફાગુ, વિવાહ, પ્રબંધ, સ્તવન, સઝાય ઇત્યાદિ પ્રકારની કૃતિઓની રચના કરી છે, જેમાંની જ્વલ્લે જ થોડી કૃતિઓ હજુ પ્રકાશિત થઈ છે. આ કવિઓ અને એમની કૃતિઓમાં નોંધપાત્ર તે નીચે મુજબ છે –
(૧) સાધુમેરુકૃત-પુણ્યસાર રાસ (૨) સંઘવિમલ (અથવા શુભશીલકૃત) સુદર્શન શ્રેષ્ઠીને રાસ (3) સંઘકલશકૃત સમ્યકત્વ રાસ (૪) અજ્ઞાતકૃત ઋષિદત્તા રાસ (૫) આનંદ મુનિકૃત ધર્મલક્ષી મહત્તરાભાસ (૬) શુભશીલગણિકૃત પ્રસેનજિત રાસ (૭) ઉદયધર્મકૃત ઉપદેશમાલા કથાનક (૮) રશેખરકૃત રચૂડ રાસ (૯) કલ્યાણસાગરકૃત અગડદત્ત રાસ (૧૦) આણંદમેરુકૃત કાલકસૂરિ ભાસ (૧૧) અતિશેખરકૃત ધન્ન રાસ; કુરગડુ મહર્ષિ રાસ; મયણરેહા સતી રાસ; ઇલાપુત્ર ચરિત્ર (૧૨) જિનવર્ધનકૃત ધનારાસ (૧૩) આજ્ઞાસુંદરકૃત વિદ્યાવિલાસ ચોપાઈ (૧૪) વિનયચંદ્રકૃત જંબૂરવામીને રાસ (૧૫) લક્ષ્મીસાગરકત વસ્તુપાલ તેજપાલ રાસ (૧૬) રાજતિલકગણિત શાલિભદ્ર રાસ (૧૭) રતનસિહ શિષ્યવૃત જંબુસ્વામી રાસ (૧૮) મલયચંદ્રત સિંહાસન બત્રીસી (૧૮) ભક્તિવિજયકૃત ચિત્રસેન પદ્માવતી રાસ (૨૦) પથત પાર્શ્વનાથ દેશભવ વિવાહ (૨૧) લક્ષ્મરત્નસૂરિકૃત સુરપ્રિયકુમાર રાસ; આઠ કર્મ ચોપાઈ (૨૨) સોમચંદ્રકૃત કામદેવને રાસ; સુદર્શન રાસ (ર૩) જ્ઞાનસાગરકત સિદ્ધચક્ર રાસ (શ્રીપાલ રાસ) (૨૪) મંગલધર્મકૃત મંગલકલશ રાસ, (૨૫) જિનરત્નસૂરિકૃત મંગલકલશ રાસ (૨૬) પુણ્યનંદિકૃત રૂપકમાલ (૨૭) દેવપ્રભગણિકૃત કુમારપાલ રાસ (૨૮) ઉદયધર્મકૃત મલયસુંદરી રાસ; કથાબત્રીસી (૨૮) ખેમરાજકૃત શ્રાવકાચાર ચોપાઈ; ઈખકારી રાજા પાઈ (૩૦) સંગસુંદરત સા શિખામણ