SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્ય | ૨૪૯ ને પણ કેટલાક કવિઓએ ગૂંથી લીધી છે. અને કેટલીકવાર સ્તવન એક લઘુ રચના ન રહેતાં ૩૫૦ જેટલી કડીની સુદીર્ઘ રચના પણ બની છે. સ્તવન ઉપરાંત “સઝાય” અથવા “સઝાય” (સ્વાધ્યાય પરથી)ના પ્રકારની રચનાઓ પણ આ સમયમાં ઠીકઠીક લખાઈ છે. જૈન મંદિરમાં સ્તુતિ માટે જેમ સ્તવનના પ્રકારની રચનાઓ થઈ તેમ જૈન ઉપાશ્રયમાં પ્રતિક્રમણ કે અન્ય ધાર્મિક વિધિ માટે, તે ક્યારેક કેવળ સ્વાધ્યાય માટે, આ પ્રકારની ગેય રચનાઓ લખાવા લાગી. એમાં એવા વિષયે પસંદ કરવામાં આવતા કે જેથી પાપની આલેચના થાય, કષાયને ક્ષય થાય, જીવન શુદ્ધ બને અને કર્મક્ષય થતાં આત્મા ઉન્નત દશા પ્રાપ્ત કરે. આથી સઝાને હેતુ કે ઉપદેશ આત્મચિંતનને રહે. અઢાર પાપસ્થાન, કેધ, માન, માયા, લેભ, નવતત્વ, બાર વ્રત, અષ્ટકર્મ, અગિયાર બેલ, ઇત્યાદિ ઘણું વિષયે. પર સઝા લખાયેલી છે. ક્યારેક કોઈ પ્રસંગ કે કથાનક પરથી કે આત્મચિંતનના હેતુથી લખાયેલી સઝામાં તેવા પ્રસંગ કે કથાનકનું સંક્ષેપમાં નિરૂપણ થયેલું હોય છે. પાંચ પાંડવની સઝાય', “સોળ સતીની સઝાય”, “અંધકરિની સજઝાય', વીરસેન સઝાય', દૃઢપ્રહારી સઝાય' ઇત્યાદિ સઝામાં એ પ્રમાણે નિરૂપણ જોવા મળશે. જૈન મંદિરોમાં સવારસાંજ સ્તુતિ કરવાને અર્થે સ્તવને લખાયાં. ઘરે કે ઉપાશ્રયમાં સવારસાંજ પ્રતિક્રમણ અર્થે અને અન્ય સમયે સામયિક વગેરે ધાર્મિક ક્રિયા કરતી વખતે સ્વાધ્યાય અથે સઝા લખાઈ. પ્રભાતમાં ઊઠી તરત ગાવા માટે પ્રભાતિયાં અથવા છંદ લખાયાં. તદુપરાંત આ સમયમાં બીજો એક પ્રકાર વિકસ્યું તે પૂજા કરે છે. તીર્થકર ભગવાનની પ્રતિમાને વિધિપૂર્વક સ્નાન (પ્રક્ષાલ) કરાવી પૂજા કરવા માટે “સ્નાત્ર પૂળ નામની કૃતિઓ લખાઈ.
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy