SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ જિન સાહિત્ય (ઈ.સ. ૧૪૫૦-૧૬૦૦ ) ઈ.સ. ના બારમા શતકમાં શરૂ થયેલા પ્રાચીન ગુજરાતી જૈન સાહિત્યને પ્રવાહ ઈ.સ.ના ૧૪૫૦ થી ૧૬૦૦ સુધીના દોઢ વર્ષના ગાળામાં વધારે પુષ્ટ અને વેગવાળે બને છે. આ ગાળામાં નાનામેટા બસે કરતાં વધુ જૈન સાધુ અને શ્રાવક કવિઓએ પોતાનું કાવ્યપૂર વહેવડાવ્યું છે. રાસ, ફાગુ અને બારમાસીના પ્રકારમાંથી રાસને કાવ્યપ્રકાર આ ગાળામાં સૌથી વધુ ખેડાયેલો છે. જૂની ધાટી પ્રમાણે સે કરતાંયે ઓછી કડીની, ઘણું ખરું એક જ રચનાબંધમાં લખાયેલી, ડીક રાસકૃતિઓ પણ આપણને આ ગાળામાં મળે છે, તે ઠીકઠીક વિસ્તારવાળી, ભાષા, ઠવણિ, અધિકાર, કડવક કે પ્રસ્તાવમાં વિભક્ત થયેલી સુદીર્ઘ રાસકૃતિઓ, લગભગ ત્રણ હજાર કરતાંયે વધુ કડીમાં લખાયેલી, પણ આપણને સાંપડે છે. કવિઓ ક્યારેક કથાવસ્તુવિહીન, માત્ર ઉપદેશાત્મક રાસકૃતિઓની પણ રચના કરે છે, પણ એકંદરે તે સુરસિક અને સવિસ્તર કથાનકો તરફ હવે રાસકારોની નજર પહેાંચી છે. પ્રસંગોને તેઓ બહલાવે છે. વર્ણને, અલંકારે, સુભાષિતોને ઉપયોગ
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy