SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ નળાખ્યાનનું કથાવતુ ! ૨૩૫ ઋતુપર્ણ અને બાહુક રથમાં જાય છે તેની સાથે સુદેવને પણ બેસત પ્રેમાનંદ બતાવે છે. મહાભારતમાં કે બીજી કઈ કૃતિમાં ઋતુપર્ણની સાથે સુદેવને બેસતે બતાવવામાં આવ્યો નથી. આવે પ્રસંગે રાજા કહે તોપણ સુદેવ એની સાથે ન બેસે તે ઇષ્ટ છે, કારણ કે કુલિનપુર પહોંચતી વખતે સ્વયંવરની કંઈ તૈયારી ન જુએ તે રાજા સૈથી પહેલે પ્રશ્ન સુદેવને જ કરે. પ્રેમાનંદને એ ખબર નથી એમ નહિ. માટે જ એણે કુંડિનપુર આવ્યું ત્યારે સુદેવને યુક્તિપૂર્વક જવાબ આપતો બતાવ્યો છે. રસ્તામાં ઋતુપર્ણનું વસ્ત્ર ઊડી જાય છે તે પ્રસંગનું નિરૂપણ પણ પ્રેમાનંદે મહાભારત કરતાં થોડું ભિન્ન કર્યું છે. તેમાં પણ શ્રેતાઓને હસાવવાની એની વૃત્તિ રહેલી છે. પરિણામે, ઋતુપર્ણ અને બાહુક નળ, બંનેનાં પાત્રના ગૌરવને એણે હાનિ પહોંચાડી છે. નળ અને ઋતુપર્ણની વિદ્યાને પ્રસંગ પણ પ્રેમાનંદે મહાભારત કરતાં ભિન્ન રીતે નિરૂપ્યો છે. ફલપત્રની સંખ્યા તે મહાભારત કરતાં તદ્દન જુદી છે જ; ઉપરાંત, મહાભારતમાં ઋતુપર્ણ પિતાની વિદ્યા, નળને આપે છે અને પોતે લેવાની વિદ્યા, નળ પાસે લેણ રાખે છે એને બદલે, પ્રેમાનંદે બંનેને એકબીજાની વિદ્યા ત્યાં આપતા અને લેતા બતાવ્યા છે. - નળ અક્ષવિદ્યા મેળવે છે કે તરત જ કવિ એના દેહમાંથી નીકળે છે. ૭૪ મી કડીથી આ કડવા અંત સુધી, કવિએ કલિને. જ પ્રસંગ વર્ણવ્યો છે. એમાં પ્રેમાનંદે કલિના ગુણ-અવગુણ વિગતે વર્ણવ્યા છે. પિતાના સમાજને લાગુ પડતી વાત કહેવાની અને એ રીતે કાને ધર્મ-અધર્મની વાત સમજાવવાની તક પ્રેમાનંદને અહીં ઝડપી છે. એને આ નિરૂપણમાં એના પિતાના જમાનાના લેકેના અનાચારનું પણ કેટલુંક પ્રતિબિંબ પડયું છે. કલિના આ પ્રસંગ પાછળ રહેલું એક રહસ્ય પ્રેમાનંદે મૂકવું
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy