SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ નળાખ્યાનનું કથાવસ્તુ / રર૭ ત્યાગ માટે આવું કારણ મૂકવા કરતાં મહાભારતકાર કે ભાલણની જેમ તે પણ આના કરતાં વધારે સારું અને સ્વાભાવિક કારણ મૂકીને પિતાને અને નળને આ દેષમાંથી બચાવી શક્યો હોત. વનમાં પંખીને પકડવા જતાં પિતાનું વસ્ત્ર નળ ગુમાવે છે એ પ્રસંગનું નિરૂપણ પ્રેમાનંદે કેટલું તાદશ કર્યું છે ! નળ નગ્ન બને છે એ સમયે તે લખે છેઃ લાન્યા પંખી ને લાયું વન, લા સર્ય, મીયાં લોચન; સ્વાદ ઈદ્રિયે પીડ મહારાજ, થયે નગ્ન મૂકીને લાજ. વિહંગમ વસ્ત્ર ગયો રે હરી, “દમયંતી ! મા જે ફરી, પાછે ડગલે ગઈ સ્ત્રીજંન, આપ્યું અર્ધવસ્ત્ર, “સ્વામી ઢંકે તન.' એકેકે છેડે પહેર્યો ઊભે, જાણે તીરથ નાહ્યાં એવાં ભે! અન્ન વિના અડવડિયાં ખાય, સતને આધારે ચાલ્યાં જાય. (કડવું ૩૪–૧૩, ૧૪) મહાભારતમાં બે પંખીઓ આવે છે; પ્રેમાનંદે અહીં એક જ પંખીને ઉલ્લેખ કર્યો છે, અને તે બગલે હવે એમ જણાવ્યું છે. મહાભારતમાં પંખી કયાં હતાં, પાસાઓએ કયા પંખીનું સ્વરૂપ ધારણ કર્યું હતું તે જણાવ્યું નથી. નળ દમયંતીને ત્યાગ કરે છે એ સમયની એની દ્વિધા પ્રેમદે મહાભારતકારની જેમ સરસ વર્ણવી છેઃ કળિ તાણે વાટ વન તણી, પ્રેમ તાણે દમયંતી ભણું; વિચારે વિચારનિધિમાં પડ્યો, આવતજવત હિંડોળે ચડયો. સાત વાર આ ફરી ફરી, તજી ન જાય સાધુ સુંદરી; પ્રબળ બળ કળિનું થયું, પ્રેમબંધન ત્રુટીને ગયું! (૩૩-ર૦) ત્યાર પછી દયંતી એની માસીને ત્યાં જાય છે ત્યાં સુધીના પ્રસંગેનું સળંગ નિરૂપણ મહાભારતમાં, ભાલણમાં અને નોકરમાં
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy