SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ નળાખ્યાનનું કથાવતું / રરર અસંભવિતતા માટે શ્રી પાઠક ભાલણને જવાબદાર ગણે છે અને. પ્રેમાનંદને બચાવ કરે છે. પણ હકીકતમાં આ અસંભવિતતા માટે પ્રેમાનંદ પોતે જવાબ-- દાર છે. ભાલણે એવું અસંભવિત નિરૂપણ કર્યું જ નથી. ભાલણના નળાખ્યાનમાં પહેલા દાવમાં પુષ્કર વૃષભ મૂકે છે અને નળ એની સામે એટલું દ્રવ્ય મૂકે છે. નળ હારી જાય છે. ત્યાર પછી બીજા દાવમાં પુષ્કર વૃષભ અને જીતેલું દ્રવ્ય મૂકે છે અને એની સામે નળ એ બંનેના જેટલું દ્રવ્ય મૂકે છે. આમ ક્રમેક્રમે પુષ્કર હારતા જતા નળ પાસેથી બધું છતી લે છે. એટલે ભાલણનું નિરૂપણ અસંભવિત નહિ. પણુ પ્રતીતિકર છે. પ્રેમાનંદના “નળાખ્યાન'માં પુષ્કર શરત કરે છે બેઠા બને પણ પરઠીને, બલ્ય પુષ્કર રાયજી; જે હારે તે રાજ્ય મૂકીને, ત્રણ વર્ષ વનમાં જાયછે. (૩૦-૪) ત્રણે વર્ષ ગુપતે રહેવું વેષ અન્ય કે ધરીજી; જો કદાચિત પ્રીછ પડે તે, વન ભોગવે ફરીજી. (૩૦-૫) ઘુતમાં આવી શરત કર્યાને ઉલ્લેખ મહાભારતમાં કે બીજી કઈ પણ કૃતિમાં આવતા નથી. પ્રેમાનંદે અહીં શકુનિ અને યુધિષ્ઠિરના બીજી વારના ઘતની શરત જેવી શરત મૂકી દીધી હોય એમ લાગે છે, અને તે પણ બરાબર એકસાઈ કર્યા વગર; કારણકે એના નિરૂપણ પ્રમાણે જોઈએ તે પણ, આ શરત બરાબર પળાતી નથી. મહાભારતમાં નળ ઘતમાં ઉત્તરોત્તર વધારેને વધારે હારતે. જતા હતા, ત્યારે દમયંતી અગમચેતી વાપરી વાણ્યેય સાથે પિતાનાં બંને સંતાનોને પિતાને પિયર મોકલી દે છે. પ્રેમાનંદ પ્રમાણે, હતમાં હાર્યા પછી નળના કહેવાથી, દમયંતી પિતાનાં સંતાનોને પિયર મોકલે છે. મહાભારતમાં સંતાનોને વાર્ષેય સારથિ સાથે મોકલવામાં આવે છે. નળાખ્યાન'માં તે ગુરુજી સુદેવ સાથે એકલવામાં આવે છે.. ૧૫
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy