________________
૨૦૨ / પડિલેહ નહિ. એવામાં વનમાં એક રથી તેના જેવામાં આવ્યું. એણે રથીને પૂછ્યું, “તમે ક્યાં જાઓ છો?' રથીએ કહ્યું, “હું પતનપુર જાઉં છું.” રથીએ વહકલચીરીને લાડુ ખાવા આપ્યા. એથી તે તે પિતનપુરના આશ્રમ જવા માટે વધારે ઉત્સુક થઈ ગયો. તે રથની પાછળ પાછળ ચાલવા લાગ્યા. રસ્તામાં કેટલાક ચેરે રથી ઉપર હુમલો કર્યો. ઝપાઝપીમાં ઘાયલ થયેલા ચોરે પિતાનું બધું ધન રથને આપી દીધું. પિતનપુરમાં પહોંચતાં રથીએ તે ધનમાંથી કેટલુંક વલ્કલચીરીને આપતાં કહ્યું, “આ લે તારે ભાગ. એ વિને અહીં તને કયાંય રહેવા કે ખાવાપીવા કશું મળશે નહિ.”
વકલચીરી પિતનપુરમાં આશ્ચર્ય મુગ્ધ બની આમતેમ ભમવા લાગ્યો અને કેને “તાત ! તાત!' કહી બોલાવવા લાગ્યો. લેકે એના ભોળપણ પર હસવા લાગ્યા. એમ કરતાં સાંજ પડી ગઈ, પરંતુ વકલચીરીને રહેવા માટે કયાંય આશ્રય મળ્યો નહિ. કવિ લખે છે :
આપકે નહિ આસરલ, રહિવા રિષિ નઈ ઠામ; વહતે વેશ્યા ઘરિ ગયઉં, એ ઉટજ અભિરામ. દ્રવ્ય ઘણુઉ દેઈ કરી, રઘઉ મુનીસર રંગ; વેશ્યા આવી વિલસતી, ઉત્તમ દીઠા અંગ.
આમ, વેશ્યાને ત્યાં પૈસા આપીને વલ્કલચારી રહ્યો. વેશ્યાએ હજામને બોલાવી એના લાંબા લાંબા વાળ અને નખ ઉતરાવ્યા, સ્નાન વગેરે વડે એના શરીરને નિર્મળ, સુગંધિત કરાવ્યું, સુંદર વસ્ત્રો પહેરવા આપ્યાં અને પોતાની દીકરી સાથે એનું પાણિગ્રહણ કરાવી ઉત્સવ મનાવ્યું. વકલચીરીને આ બધા નો અનુભવ ઘણે આશ્ચર્ય જનક લાગે.
આ બાજુ, વક્લચીરીને લેવા માટે ગયેલી વસ્યાઓએ પિતનપુર આવી પ્રસન્નચંદ્ર રાજાને બધે વૃત્તાન્ત કહ્યો. એ સાંભળી રાજાને પોતાના ભાઈની ચિન્તા થવા લાગી. તેણે નાટક, ગીત, વિનોદ વગેરેને નિષેધ