SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ કવિવર સમયસુ ંદર | ૨૦૧ પેાતાની માતાએ વનમાં ગયા પછી એક પુત્રને જન્મ આપ્યા છે અને એ પણ હવે મોટા થઈ ગયા છે. ત્યારે પેાતાના એ ભાઈને મળવા માટે એનું હૃદય ભ્રાતૃસ્નેહથી ઉત્કંઠિત થઈ ગયું. એણે ચિત્રકારાને માલાવી જંગલમાં જઈ પેાતાના ભાઈનું ચિત્ર તૈયાર કરી લાવવાની આજ્ઞા કરી. ચિત્રકારો તે પ્રમાણે ચિત્ર બનાવી લાવ્યા. એ જોઈ પ્રસન્નચંદ્રને ધણા આનંદ થયો. પેાતાના ભાઈના ચિત્રને છાતીએ વળગાડી તે વિચાર કરવા લાગ્યા કે, ‘પિતાજી તે। વૃદ્ધાવસ્થામાં વનમાં વૈરાગ્ય ધારણ કરી ઉત્સાહપૂર્વક તપ કરે છે, પરંતુ મારા નાના ભાઈ તરુણ અવસ્થામાં આવું કષ્ટ ઉઠાવે અને હું રાજ્યસુખ ભાગવું એ યેાગ્ય નથી.' એટલે પ્રસન્નચંદ્ર રાજાએ કેટલીક કુશળ વેશ્યાઓને એલાવી કહ્યું, ‘તમે મુનિના વેશ ધારણ કરી વનમાં જાએ અને વિવિધ કળાએ વડે મારા ભાઈનું મન આકષી એને અહીં લઈ આવે.' વેશ્યાએ બિલ, ફલ વગેરે લઈ વનમાં તાપસાશ્રમમાં ગઈ. વલ્કલચીરીએ ઊઠીને એમનું સ્વાગત કર્યું. અને પૂછ્યું, તમે કચાંથી આવા છે ? ' વેશ્યાએ કહ્યુ', ‘પેાતનપુરના આશ્રમમાંથી.' વકલચીરીએ એમને આશ્રમનાં ફળ ખાવા આપ્યાં. વેશ્યાએએ પેાતે લાવેલાં ફળ વલ્કલચીરીને ચખાડવાં અને કહ્યું, ‘તમારું કુળ સાવ નીરસ છે. અમારાં ફળ કેટલા સ્વાદિષ્ટ છે !' વલ્કલચીરીએ વેશ્યાઓની છાતી પર સ્પર્શી કરી કહ્યું, ‘તમારી છાતી પર આ ફળ શું છે ? ” વેશ્યાએએ કહ્યું, અમારા આશ્રમમાં રહેનારને પુણ્યદયથી આવુ ફળ પ્રાપ્ત થાય છે. તમે અમારા આશ્રમે ચાલો. ' વલ્કલચીરીએ કહ્યું, “હા, જરૂર મને લઈ જાઓ. ’ , " વલ્કલચીરી વેશ્યા સાથે જવા માટે સ' કેતાસ્થાને ગયા. ત્યાંથી વેશ્યાઓ સાથે થાડેક ગયે ત્યાં સામેથી સામચંદ્ર ઋષિ આવવાના સમાચાર મળતાં વેશ્યાએ આમતેમ નાસી ગઈ. વલ્કલચીરી તેમને શેાધતા શોધતા વનમાં ભટકવા લાગ્યા, પશુ કાઈ વેશ્યા તેને દેખાઈ
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy