SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રિભુવનદીપકપ્રબંધ | ૧૬૧ તે મોહ અને નિવૃત્તિને પુત્ર તે વિવેક. પ્રવૃત્તિ મનને વશ કરી લે છે. એને સમજાવી નિવૃત્તિ તથા એના પુત્ર વિવેકને દેશવટો અપાવે છે અને પિતાના પુત્ર મહિને રાજ્ય અપાવે છે. મનને પુત્ર મોહ હવે અવિદ્યા નગરી સ્થાપી ત્યાં રાજ કરે છે. આ આવવા નગરી કેવી. છે? કવિ વર્ણવે છેઃ અવિદ્યા-નગરી, ગઢ અજ્ઞાન, તૃષ્ણ ખાઈ, મહું માન; કદાચારુ કોસીસાંઉલિ, ચારિઈ દુગતિ વહિતી પિલિ; વિષયવ્યાપ વાર આરામ, મંદિર અશુભાં મન પરિણામ. કામાસન જે કહિયાં પુરાણિ, ચીરાસી ચહટાં તે જાણિ; ભૂરિ ભવંતર સેરી હુઈ, ફૂડબુદ્ધિ તે ઘર ઘર કઈ. મમતા પાદ્દતણી રખવાલિ, કુમત સરોવર મિથ્યા પાલિક નિર્વિચારુ નિવસઈ તિહાં લોક થઈ ઉચ્છવ ડઈ શક. મેહની રાણીનું નામ દુર્મતિ છે. એના પુત્રો તે કામ, રાગ અને ઠેષ છે. એની પુત્રીઓ તે નિદ્રા, અધૃતિ અને મારિ (હિંસા) છે. મોહનઈ રાણી દુર્મતિ નામ, બેટ બલવંત જેઠઉ કામ, રાગદેષ બે બેટા લય, નિદ્રા અધૃતિ મારિ એ ધૂઅ. પિતાને રહેવા માટે અનુકૂળ સ્થળ ન મળતાં મનની પત્ની નિવૃત્તિ અને તેને પુત્ર વિવેક પ્રવચનપુરીમાં શમ અને દમ નામના વૃક્ષની છાયામાં બેસે છે. ત્યાં કુલપતિ વિમલ બેધને વંદન કરી પોતાના સુખને પ્રશ્ન કરે છે. વિમલબોધ પિતાની પુત્રી સુમતિને વિવેક સાથે પરણાવવાની વાત કરે છે, અને પ્રવચન નગરીના રાજા અરિહંતરાયને પ્રસન્ન કરીને એમની પાસેથી કંઈ કાર્યસિદ્ધિ મેળવવા સૂચવે છે. નિવૃત્તિ અને વિવેક તે પ્રમાણે કરે છે. વિવેક પ્રવચન નગરીમાં વસી અરિહંતરાયની આજ્ઞા મુજબ કાર્ય કરી તેમને પ્રસન્ન કરે છે. અરિહંતરાય વિવેકને પુણ્યરંગ-પાટણ નામની નગરીને રાજા બનાવે છે.
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy