________________
૧૫૬ / પડિલેહા
ઢાલની વચ્ચે દુહાની પંક્તિ યાજવામાં આવતી, જેમાં આગળની ઢાલમાં નિરૂપાઈ ગયેલી અને પછીની ઢાલમાં વર્ણવવામાં આવનાર ઘટનાઓને સંક્ષેપમાં નિર્દેશ કરવામાં આવતા. પૂર્વકાલીન કેટલીક કૃતિઓમાં દુહાને સ્થાને વસ્તુછંદ”ની પંક્તિઓ મૂકવામાં આવતી, એ લયબદ્ધ ગદ્યપ`ક્તિઓમાં આગળપાછળની ઢાલમાં નિરૂપાયેલ ઘટનાઆના નિર્દેશ કરવામાં આવતા. આ રાસકૃતિમાં ‘વસ્તુછંદ’માં માત્ર પૂર્વની ઢાલનેા વૃત્તાંત કહેવામાં આવ્યા છે; જોકે છઠ્ઠી ઢાલ પછી વસ્તુછંદ'ની પંક્તિ નથી. કવિની વસ્તુ ંંદ 'ની અનુપ્રાસયુક્ત લયબદ્ધ પંક્તિઓમાંથી નમૂનારૂપ થાડી પક્તિએ જુએ :
:
ઇંસૂઈએ ઈંફ્લૂઈએ ચઢે ય બહુમાન હુંકારા કરી કંપતા સમવસરણુ પહેાતા સુરત. ઈહુ સંસા સામિ સર્વે, ચરમનાહ ફેડે કુરત, ખેાધિ ખીજ સંજાય મને, ગાયમ ભવહ વિત્ત. દિક્ષા લેઈ સિક્ક્ખા સહિય ગણુહરપય સંપત ’
કવિ વિનયપ્રભે આ લઘુ રાસકૃતિમાં ગૌતમસ્વામીના જન્મથી માંડીને કેવળજ્ઞાન સુધીના મહત્ત્વના પ્રસ ંગાનું સચોટ, રસિક અને ચમત્કૃતિયુક્ત નિરૂપણ કર્યું છે. ભાષાનું લાઘવ, પ્રસંગાનુરૂપ પદાવલિ, પ્રાસાનુપ્રાસ તથા ઉપમા, રૂપક, ઉત્પ્રેક્ષા, વ્યતિરેકાદિ અર્થાલંકાર, દેશીઓની વિવિધતા, પંક્તિની લયબદ્દતા ઇત્યાદિ વડે આ રાસકૃતિ કાવ્યગુણુથી સ ંપન્ન અને સભર બની છે અને તેથી આપણે મહત્ત્વની રાસકૃતિઓમાં તે અમગણ્ય સ્થાન ધરાવે છે.