________________
ગૌતમસ્વામીને રાસ | ૧૫૩ પ્રતિબોધ કર્યો અને પોતાને અમૃતઝરતે અંગૂઠ રાખી, ખીર, ખાંડ તથા ઘીવાળા એક જ પાત્રમાંથી બધા જ તાપને પારણું કરાવ્યું. એથી શુભ ભાવ ઉત્પન્ન થતાં તાપસને કેવળજ્ઞાન થયું, પરંતુ ભગવાન પ્રત્યેના અનુરાગને કારણે ગૌતમસ્વામીને હજુ કેવળજ્ઞાન થયું નહોતું. કવિ લખે છે : ખીર ખાંડ વૃત આણ,
અમિસ વૂઠ અંગુઠ્ઠ ઠવિ, ગાયમ એક પાત્ર,
કરાવઈ પારણું સવે.
નહોતા અનુરાગને કાર વાપસને કેવળ
પંચર્યા શુભ ભાવ,
ઉજજવલ ભરિયે ખીર મિસે સાચા ગુરુ સંજોગ,
કવલ તે કેવલ રૂપ હુઓ. એ કેવળજ્ઞાન ગૌતમસ્વામીને કેવી રીતે થાય છે તે કવિ વર્ણવે છે. પાંચમી ઢાલમાં મહાવીર સ્વામી પાવાપુરી પધાર્યા હતા ત્યારે તેમણે ગૌતમસ્વામીને દેવશર્મા નામના એક બ્રાહ્મણને પ્રતિબોધ કરવા માટે હેતુપૂર્વક મોકલ્યા. એને પ્રતિબંધ પમાડી ગૌતમસ્વામી જ્યારે પાછા ફરતા હતા ત્યારે તેમણે રસ્તામાં જાણ્યું કે ભગવાન નિર્વાણ પામ્યા છે. કેવળજ્ઞાની ભગવાને પોતાને નિર્વાણ સમય જાણતા હોવા છતાં ગૌતમસ્વામીને એની વાત ન કરી, એટલું જ નહિ એ સમયે એમને દૂર રાખ્યા એથી ગૌતમસ્વામીને પ્રથમ ખેદ થયે, પરંતુ પછીથી તત્ત્વતઃ વિચારતાં એમને સમજાયું કે ભગવાન પ્રત્યેને દઢ અનુરાગ જ એ ખેદનું કારણ હતું. અનુરાગને કારણે જ પિતાને કેવળજ્ઞાન પ્રાપ્ત થતું ન હતું. એ પ્રમાણે વિચારતાં વિચરતાં, અનુરાગરહિત સ્થિતિ પ્રાપ્ત થતાં, ગૌતમસ્વામી ઉરચતર આધ્યાત્મિક સ્થિતિએ