________________
યશોવિજયજી | ૧૪૩
સેજાનું જિમ જડપણ, વધ્યનું મંડન જેમ, ભવ ઉનમાદ વિષય વિષમ, ભાસઈ મુજ મન તેમ. મીઠું લાગઈ તેલ તસ, ધૃત નવિ દીઠું જેણ; ભવસુખ તિમ રાઈ ન કે, શિવસુખ સંભારણ, દુખથી વિરચઈ જનસકલ, સુખથી વિરચઈ બુદ્ધ, સુખદુખ સરખાં લેખવઈ, ભવનાં તે મનિ શુદ્ધ
| (ચતુર્થ અધિકાર) ચેથા અધિકારને અંતે જ કુમાર ધર્મની મહત્તા બતાવતાં જે કહે છે તે કડીઓ પણ સુંદર અને સચોટ છે. તેમાં છેલ્લી કડીમાં તે કહે છે:
પડતે રાખ તાત પરિ, અખઈ મિત્ર પરિ મગ; પિષઈ નિજ માતા પરિ, ધર્મ તે અચલ અભ....
પાંચમા અધિકારમાં વ્રત લેવા માટે પોતાનાં માતાપિતાને પૂછવા જનાર પ્રભવને જંબુકુમાર જે ઉપદેશ આપે છે તેમાં એક પ્રકારનું ગૌરવ અને ગાંભીર્ય રહેલું છે. કવિની આ દીર્ધ લયની પંક્તિઓની આખી ઢાલમાં આપણને શાંત રસની સરિતાનાં દર્શન થાય છે. એમાંની થોડીક કડીઓ જુઓ:
જંબૂ ભાષઈ સુણો સાચા મિત્ત, ચારિત્ર તે જગતારૂ છઈ જે; ધર્મઈ ઢીલ ન કીજઈ સાચા મિત્ર, વિલંબ તે ન વારૂ છઈ જે. કીધું ગાંઠિ બાંધ્યું સાચા મિત્ર, ઉધારોને સાંસ છઈ જે; કાલિ તણો દિન ભર સાચા મિત્ર અણદાતાને ફાંસે છઈ જે. ચઢતઈ ભાવઈ આવઈ સાચા મિત્ર, શ્રદ્ધા તે વષાણ છઈ જે, ધણ્યું સોનું વાઈ જાઈ સાચા મિત્ર, ધર્મઈ શ્રદ્ધા ભાજઈ છઈ જો. બંદીખાણઈ પડિ સાચા મિત્ર, લગન ન જેસન જેવઈ છઈ જે; સંધિ જે વેલા પામઈ સાચા મિત્ર, નીસરવું તવ હેવઈ છઈ જે. નેહ તિલ પીલાઈ સાચા મિત્ર, વેલ નવિ પિલાઈ છઈ જે; સસનેહું દધિ મથિઈ સાચા મિત્ર, યંત્ર ઈફખ-ગલાઈ છઈ જે.