________________
“૧૪ર | પડિલેહા
સ્વાભાવિક છે. કવિએ એવી પંક્તિઓ કેટલેક સ્થળે, ખાસ કરીને દૂહામાં પ્રિય છે, અને તેમાં પણ અવનવા અલંકારો વડે તેને રોચક અને મનેરમ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. કવિએ આવી પ્રયોજેલી પંક્તિએમાંથી નમૂના લેખે થોડી જોઈએ ?
વામાં વયણ વિલાસથી, ચૂકા ચતુર અનેક; તસ ચિત આગમ વાસિવું, તેહની ન ટલી ટેક. મૃગતૃષ્ણ જલ સમ વડિ, વનિતા વયણ વિલાસ; પહલાં લાલચ લાઈ કઈ, પછઈ કરઈ નિરાસ. નવામાં વયણે વેધિયા, વીસાઈ જે સથ્થ; , તે મૃગ પરિ પાસઈ પડ્યા, પામઈ બહુલ અણુથ્થ. વહઈ પૂરનઈ પાછલિ, દીસઈ તેહ અનેક સાહમાં પૂરઈ વિષયનઈ, ઉતરઇ તે સુવિવેક.
(ત્રીજો અધિકાર)
બહુ અંતર વિષ વિષયમઈ, ઈક ખાયો દુઃખકાર, ઈક થાય હી દુખ દિઈ, પંડિત કરે વિચાર; બહુ અંતર વિષ વિષયમઈ, વરણું અધિક અધિકાત, એક મરણ દિઇ વિષ વિષય, વિષય મરણ બહુ જાત.
(ત્રીજો અધિકાર)
હંસ ન ખેલઈ ખાલ જલિં, ગંગા ઝીલણ-હાર; જેણિ ચાખ્યું પીયૂષ તે, ઈચ્છઈ જલ કિમ કાર પગઈ ફલ સહકારની, આંબિલિઈ કિમ હેસિ;
બરિ વલિ વરકુરની, ઠાઠું ભરિઉં ઠુસિ કેડીઈ કિમ કેડિની, મણિની પાહણુઈ કેમ; ઈચ્છા પૂગઈ ભવસુખઈ, શિવની મુજ નવિ તેમ.