________________
યશવિજયજી | ૧૩૫ કોકિલકંઠી, શશિમુખી, સુણે રજિઆ રે,
ઉરુ કુચ કેસરિ મધ્ય કઈ, બહુ ગુણ ગાજિયા રે; પીન જઘન કરચરણથી, સુણે રજિઆ રે, - છતઈ કમલની ઋદ્ધ કઈ, બહુ ગુણ ગાજિયા રે. ગંગાકૃત્તિકા તિલકર્યું, સુણે રજિઆ રે,
સેહતી સંયત કેશ કંઈ, બહુ ગુણ ગાજિયા રે; વન તક સેહર કુમલ બન્યા, સુણે રાજિઆ રે, કુંડલ તાલ નિવેશ કઈ, બહુ ગુણ ગાજિયા રે.
(તૃતીય અધિકાર, ઢાલ ૩) દુગિલા નદીમાં સ્નાન કરવા જાય છે તે સમયનું તાદશ ચિત્ર ખડું કરતાં કવિ વર્ણવે છેઃ
પહિરણ અર્ધ કુચઈ કવી, જલિ પઈડી ક્રીડા હેત; મનમથ દગધ છવાડતી, સરસ મધુરાલાપ સંકેત. આલિંગઈ તેહનઈ નદી, વિસ્તારી વર કરવીચિ, સ્નિગ્ધ સખી પરિ દેઈ મિલઈ, તે હિયડઈ હિયર્ડ ભીચિ. નીર વિદારી કરઈ ઠરઈ, તિહાં જિમ ન દંડઈ નાવ, હંસ ચક્રવાક ઊસરઈ, માનું ગતિ કુચ કૃત લઘુભાવ, નાહતાં નીર વિષેરતાં, વલિ કેલિ કરત ચિરકાલ; ચંચલ કર તેહના કરઈ, વર કમલ નૃત્ય અનુકાર. શ્લથ ઇક વસન સપયૂ, વરિ ઘૌત અધર મૃત કેશ; જલક્રીડા કરતી તે બની, રત ઉસ્થિત સંગત વેસ.
જંબૂ કુમાર દીક્ષા લેવા તૈયાર થાય છે તે સમયે એમની આઠે પત્નીઓ કહે છે કે પતિ કરતાં પોતે કઈ પણ રીતે ભિન્ન નથી. પતિની સાથે તેઓ આઠે દીક્ષા લેવા તૈયાર છે. એમ બતાવી કવિ એક પછી એક અવનવાં રૂપકેની જે લાંબી હારમાળા પ્રોજે છે તે એમની કવિત્વશક્તિને સારે પરિચય કરે છે?