SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ યશોવિજયજી | ૧૦૫ સૂરતમાં ચાતુર્માસ દરમિયાન તેમણે રચેલી પ્રતિક્રમણ હેતુ સ્વાધ્યાય અને “અગિયાર અંગ સ્વાધ્યાય” એ બે કૃતિઓમાં એની રચનાતાલ યુગ યુગ મુનિ વિધુ વત્સરઈ' એ પ્રમાણે જણાવી છે. તેમાં યુગની સંખ્યા ૪ લઈએ તે સં. ૧૭૪૪ થાય અને તેની સંખ્યા ૨ લઈએ તે સં. ૧૭૨૨ થાય. પરંતુ અહીં સં. ૧૭૪૪ લેવી સર્વ રીતે સુસંગત જણાતી નથી.* એટલે જ્યાં સુધી બીજાં કંઈ વધુ પ્રમાણે ન મળે ત્યાં સુધી સં. ૧૭૪માં ડભોઈમાં શ્રી યશોવિજયજી મહેપાધ્યાયને સ્વર્ગવાસ થયે એમ માનવામાં ખાસ બાધ નથી. મહેપાધ્યાય શ્રી યશોવિજયજીએ સંસ્કૃત અને પ્રાકૃતમાં ઘણી વિદ્રોગ્ય કૃતિઓની રચના કરી છે, તેવી જ રીતે, તેમણે પોતાના સમયની બેલાતી ગુજરાતી ભાષામાં પણ ઘણી કૃતિઓની રચના કરી છે. લેકભાષા ગુજરાતીમાં કૃતિ રચવા અંગે તેમને વિશે એક દંતકથા એવી છે કે જ્યારે તેઓ કાશીમાં અભ્યાસ પૂરો કરી પિતાના ગુરુમહારાજ સાથે વિહાર કરતા હતા ત્યારે કોઈ એક ગામમાં સાંજે પ્રતિક્રમણમાં એક શ્રાવકે શ્રી નવિજયજી મહારાજને વિનંતી કરી, -શ્રી યશોવિજયજી મહારાજ પાસેથી સઝાય સાંભળવાની ઈચ્છા દર્શાવી. જવાબમાં શ્રી યશોવિજયજીએ જણાવ્યું કે “મને કઈ સક્ઝાય કંઠસ્થ નથી'. એ સાંભળી તે શ્રાવકે કહ્યું, “ત્યારે શું બાર વરસ કાશીમાં રહીને ઘાસ કાપ્યું?” એ સમયે મહેપાધ્યાયજી મૌન રહ્યા. તેમને વિચાર કરતાં જણાયું કે સંસ્કૃત, પ્રાકૃત ઉપરાંત લેકભાષામાં પણ પોતે રચના કરવી જોઈએ કે જેથી વધુ લેકે બોધ પામી શકે. તરત નિશ્ચય કરી તેમણે તે અમલમાં મૂક્યો. તેમણે સમક્તિના ૬૭ બોલની સઝાય બનાવી અને તે મોઢે પણ કરી લીધી અને બીજે દિવસે પ્રતિક્રમણમાં તે બેલવા માટે આદેશ માગે. * જુએ મુનિશ્રી યશોવિજયજીકૃત લેખ “મહો. પૂ. વિજ્યજીની સ્વર્ગવાસ સાલ અને તિથિ કઈ?—જેનયુગ, ફેબ્રુઆરી, ૧૫૯.
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy