SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૪ શ્રાવક ધમ વિધાન આરાવાળા અવસર્પિણી કાળ છે,અને દુષમષમથી સુષમસુષમ સુધીના ઉલટા ૬ નામના ૬ આરાવાળા ઉત્સર્પિણી કાળ છે. તે અનેના જુદા જુદા ૧૦ કોડાકોડી સાગરોપમ પ્રમાણ કાળ છે. જેમાં અવસર્પિણીના પહેલા આરેા ૪ કાડાકોડી સાગરોપમના, બીજો આરા ૩ કાડાકોડી સાગરોપમના, ત્રીજો આા ૨ કાડાકોડી સાગરે પમના, અને ચોથા આરા ખેતાલીસ હજાર વર્ષ ન્યૂન ૧ કડાકાડી સાગરાપમ પ્રમાણુ છે. પાંચમા આરે ૨૧૦૦૦ વર્ષના ને છઠ્ઠો આા ૨૧૦૦૦ વર્ષના છે. ઉત્સ ગીતા. ૬ આરા એજ રીતે ઉલટા પ્રમાણવાળા છે. જેમાં પહેલા આરા ૨૧૦૦૦ વર્ષના ઇત્યાદિ ઉલટા ક્રમવાળા છે. એમાં ધમ ના અવસર અવસર્પિણીના ત્રીજા આરાને છેડે,તેમજ ચોથા આરામાં ને પાંચમા આરામાં છે. ઉત્સર્પિણી કાળમાં ધર્મના અવસર ત્રીજા ને ચોથા આરામાં હોય છે. શેષ ઘણા કાહાકાડી સાગરે પમા જેટલેા કાળ ધર્મશૂન્ય હેાય છે. કારણ કે શેષ કાળમાં યુગલિકાદિના સદ્ભાવમાં તીર્થંકર ભગવંતા, ગણુધરા, મુનિઓ વિગેરેના અભાવ હોય છે. માટે ધર્મના અવસર સર્વ કાળ નથી. પરન્તુ તે અમુક કાળમાંજ પ્રાપ્ત થાય છે. માટે હે જીવ! તું આ અવસર્પણીના પાંચમા આરામાં ધ યુક્ત કાળમાં વર્તે છે, માટે એ અવસરને લાભ લેવાનુ ચૂકીશ નહિ. પાંચમા આરા બાદ છઠ્ઠા આરામાં તો ધર્મનાજ વિચ્છેદ અને મનુષ્યના પણ ધીરે ધીરે ક્ષય થતા જશે. ભૂમિ ઉપર આકાશી ઉપદ્રવેા અનેક થશે. એવા સહાર કાળમાં વનસ્પતિઓને પશુ અભાવ થતાં. માંસાહાર પર જીવન નિર્વાહ ચાલશે, એવા દુષ્ટ કાળમાં ધર્મના અવસર નથી. ધર્મના અવસર પાંચમા આરા
SR No.023285
Book TitleShravak Dharm Vidhan
Original Sutra AuthorN/A
AuthorShubhankarvijay
PublisherZaverchand Ramaji Zaveri
Publication Year1949
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy