SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવકધમ વિધાન જિનવચનને સમ્યક્ પ્રકારે સાંભળે તે શ્રાવક કહેવાય. અહિં સાંભળવુ એ ક્રિયા કોઇ પણ શ્રોત્રેન્દ્રિય લબ્ધિવાળાને (ક્શેન્દ્રિયવાળા સર્વ જીવાને) હોય છે અને શ્રાવકપણું સાંભળવાની ક્રિયાની અપેક્ષાવાળુ છે તે એ રીતે કણેન્દ્રિય વાળા સર્વે જીવાને શ્રાવક તરીકે ગણવાના પ્રસંગ આવે અને એમ બધા કણેન્દ્રિયવાળાને શ્રાવક કહેવાય નહિ. માટે એ સાંભળવાની ક્રિયા પણ અમુક વિશેષતાવાળીજ હાવી જોઈ એ, તે કારણથી ગ્રન્થકર્તાએ નિવયાં-જિનવચન સાંભળે તે શ્રાવક પરન્તુ કાઇપણ વચન વા ભાષા માત્ર સાંભળવાથી શ્રાવક ન ગણાય એમ કહ્યું. અહિં` જિનવચન એટલે શ્રીસર્વજ્ઞ ભગવતાનું વચન અથવા આગમ તે સાંભળવાથીજ શ્રાવક ગણાય, પરન્તુ અપાનાં વચન સાંભળવાથી અથવા અપ્રમાણ પુરૂષોનાં વચન સાંભળવાથી શ્રાવક ન ગણાય, કારણ કે એવાં વચન સાંભળવાથી આત્માને કંઇ પણ લાભ થતા નથી એટલું જ નહિ પરન્તુ ભવવૃદ્ધિ રૂપ વિપરીત ફળ થાય છે. માટે અલ્પજ્ઞને અપ્રમાણુ પુરૂષોનાં વચન સાંભળવાં ચિત નથી. પ્રશ્ન:—જિનવચનજ સાંભળવા ચેાગ્ય છે, અને તે સાંભળવાથી જ શ્રાવક કહેવાય એમ શા માટે ? ઉત્તર-પરહોયદિ—પરલેાકમાં હિતકારી હાય તા જિનવચનજ હિતકારી છે, કારણકે જિનેન્દ્ર ભગવંતા સર્વાંગ હોવાથી તેમનાંજ વચન સંપૂર્ણ સત્ય છે. માટે જિનવચન સાંભળવાથીજ શ્રાવક ગણાય.
SR No.023285
Book TitleShravak Dharm Vidhan
Original Sutra AuthorN/A
AuthorShubhankarvijay
PublisherZaverchand Ramaji Zaveri
Publication Year1949
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy