SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ર શ્રાવકધર્મ વિધાન વિધિથી સમ્યકત્વ સહિત શ્રાવક વ્રતનું ગ્રહણ કર્યા બાદ તેમાં પ્રતિદિન ઉદ્યમ રાખવે, કારણકે ત્રના અભ્યાસથીઉદ્યમથી વિરતિ પરિણામ જે વ્રત લેતાં પહેલાં અશુભ કર્મના ઉદયથી ન વર્તતે હેય તે પણ પ્રગટ થાય છે, જેથી તાત્વિક વિરતિપણું પ્રાપ્ત થાય છે. કેવળ વ્રત પરિણામ જ પ્રાપ્ત થાય એટલું નહિજ પરતુ સમ્યકત્વ પરિણામ પણ પ્રથમ ન હોય તે પ્રગટ થાય છે. અને જીવ જે વ્રત લીધા બાદ તેના અભ્યાસમાં ન હતું અને આળસુ પ્રમાદી થઈને બેદરકારી રાખે તે વ્રત પરિણામ વર્તતે હેય તે તે પણ અશુભ કર્મના ઉદયથી પતિત થઈ જાય છે. માટે અવશ્ય અભ્યાસ કરે. પ્રશ્ન – વ્રતનો અભ્યાસ કર્મના ઉદયને તેડવા કઈ રીતે સમર્થ છે? ઉત્તર-વિરતિ આદિકના વિઘાતક કર્મો સેપક્રમી હોય છે, ને ભવ્યનાં એ સેપકમી કર્મી વ્રતના અભ્યાસથી ત્રુટી શકે છે. (અથવાનિકાચિત હોય તે પણ અભ્યાસે શિથિલ થઈ પરિણામે સર્વથા પણ ત્રુટી જાય છે.) માટે અભ્યાસથી વિરતિ પરિણામ પ્રગટ થાય છે. પ્રશ્ન-વ્રતને પરિણામ પ્રથમ હાઈને અભ્યાસના અભાવે પતિતપરિણામ થાય છે તે પતિતપરિણામનું લક્ષણ શું ?. ઉત્તર-વતને પરિણામ વર્તતે હોય તે વખતે જીવને વતે પ્રત્યે, વ્રતના ઉપદેશક ગુરૂ પ્રત્યે અને વ્રતધારીઓ પ્રત્યે આદર ભક્તિ બહુમાન વર્તતો હોય છે, ને પરિણામ
SR No.023285
Book TitleShravak Dharm Vidhan
Original Sutra AuthorN/A
AuthorShubhankarvijay
PublisherZaverchand Ramaji Zaveri
Publication Year1949
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy