SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૨ શ્રાવકધર્મવિધાન સમજી જાય. એ રીતે ખાંસી આદિ શબ્દ તેના કાનમાં પાડે તે ૩ શબ્દાનુપાત અતિચાર. તથા નિયમિત ક્ષેત્રથી બહાર રહેલા કેઈ પુરૂષદિકને બોલાવવા માટે નિયમિત ક્ષેત્રમાં જ ઉભો થઈને વે ચાલી આવીને પિતે દેખાવ દે, જેથી તે પુરૂષાદિ પોતાને બોલાવે છે એમ સમજી જાય તે એવી રીતે રૂપ=પોતાના રૂપને (પોતાને) અનુપાત તે પુરૂષાદિકની દષ્ટિમાં આવવું તે ૪ રૂપાનુપાત અતિચાર, - તથા એ રીતે જ બહાર રહેલા પુરૂષાદિકને બોલાવવાને બહિર–બહાર ક્ષેત્રમાં તેના પર પુદ્દગલપ્રક્ષેપ=કાંકરે વિગેરે કઇ પુદગલ પદાર્થ ફેકે તે ૫ બહિર પુદગલપ્રક્ષેપ નામને અતિચાર જાણ. એ પાંચ અતિચાર દેશાવકાશ વ્રતમાં વર્જવા. એ પાંચે અતિચાર વ્રતના ભંગાભંગ રૂપ છે, કારણકે નિયમિત ભૂમિથી બહાર ન જવાથી વ્રતને અભંગ છે, પરંતુ બહારના ક્ષેત્રને પાપારંભ અટકાવવા ઉદેશ ન સચવાયાથી તત્ત્વથી વ્રતને ભંગ છે. અહિં નિયમિત ભૂમિથી બહાર ન જવાને ઉદ્દેશ એ છે કે ત્યાને પાપારંભ બંધ થાય, અને તે પાપારંભ પિતે કરે કે બીજાની પાસે કરાવે તે પણ તેના ફળમાં કંઈ ફેર પડતું નથી, પરંતુ એક તફાવત છે કે વ્રતધારી શ્રાવક પોતે જાય તે જયણ પૂર્વક જવાથી પાપારંભ અલ્પ થાય છે, ને બીજાને મોકલતાં અજયણાથી પાપારંભ અધિક થાય છે (છતાં પિતાને નિયમિત ભૂમિથી બહાર ન જવાનું
SR No.023285
Book TitleShravak Dharm Vidhan
Original Sutra AuthorN/A
AuthorShubhankarvijay
PublisherZaverchand Ramaji Zaveri
Publication Year1949
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy