SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦ શ્રાવકધર્મવિધાન અનેક વાર તિદિવસ કરવું ઉ જેટલા ક્ષેત્રનું પ્રમાણ સવારે અને રાત્રે બે વાર કરવું અથવા એક વાર કરી રાત્રે પુનઃ સંભારવું, અથવા એક દિવસમાં એક પ્રહર બે પ્રહર સુંધી અંગીકાર કરવાથી અનેક વાર પણ કરવું. ગાથામાં “પઈદિણું=પ્રતિદિવસ” એ પદ કેવળ દિવસ દર્શક નથી, પરંતુ ઉપલક્ષણ વાળું હેવાથી પ્રહર આદિકને (મૂહુર્તને) પણ સૂચવનારું છે. જેથી આ શિક્ષાત્રત પ્રહરે પ્રહરે પણ બદલી શકાય છે. પ્રતિદિન પણ બદલી શકાય છે ને એક દિવસમાં બે વાર પણ બદલી શકાય છે. મુહૂર્ત મુહૂર્ત પણ બદલી શકાય છે. વિશેષ એ કે એક અહો રાત્ર માટે સવારે કરેલું પ્રમાણ બીજે ત્રીજે પ્રહરે વા રાત્રે ઘટતું ઘટતું કરી શકાય પણ અધિક અધિક પ્રમાણ ન કરાય. અધિક પ્રમાણે તે સંપૂર્ણ અહોરાત્ર વીત્યા બાદ જ થાય, અને કઈ પણ દિવસ છઠ્ઠા વ્રતના પ્રમાણથી અધિક પ્રમાણ પણ ન કરી શકાય. જેથી છઠું વ્રત નિત્યને માટે અવસ્થિત છે ને દશમું વ્રત અનવસ્થિત છે, ને છઠ્ઠા વ્રતના સંક્ષેપ રૂપ છે. તેમજ અહિંસાદિક ત્રસેના પણ સંક્ષેપરૂપ છે.) અહિં શબ્દાર્થ પ્રમાણે-છઠ્ઠા દિ૫રિમાણવ્રતના દેશ= દેશભાગમાં અવકાશ અવસ્થાન તે દેશાવકાશ, અને એવા દેશાવકાશથી બનતું પ્રત્યાખ્યાન તે દેશાવકાશિક વ્રત કહેવાય. અવતરણ–પૂર્વ ગાથામાં દેશાવકાશિક વ્રતનું સ્વરૂપ કહીને હવે તેના અતિચાર કહે છે – ૧ ગાથામાં કહેલ ફિવિધ શબ્દ એ રીતે જ અત્યંત સાર્થક છે.
SR No.023285
Book TitleShravak Dharm Vidhan
Original Sutra AuthorN/A
AuthorShubhankarvijay
PublisherZaverchand Ramaji Zaveri
Publication Year1949
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy