SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ શ્રાવકધર્મ વિધાન તે કહેવાય કે હું કેણ છું ? તેની શોધ કરે. માનવજીવન શું છે? મનુષ્ય તે શું ? પશુ તે શું? જીવ શું? જડ શું? પુણ્ય શું ? પાપ શું? ધર્મ શું? અધર્મ શું? ગુણ શું? અવગુણ શું? મને હિતકર શું? અહિતકર શું ? જગતને હિતકર શું? અહિતકર શું? ઈત્યાદિ શોધખોળ કરવી, અને જગતને તથા પિતાને જે હિતકારી હોય તે કાર્ય કરવું તે બુદ્ધિ કહેવાય. હવે કહે આ સગુણોને અંશ પણ યાંત્રિક વિજ્ઞાનમાં છે? માટે જગતસંહારી યાંત્રિક વિજ્ઞાનની શોધ તે સદબુદ્ધિ વૈભવ નથી. બુદ્ધિને વૈભવ તે વનસ્પતિ આહારીને જ હોઈ શકે. કારણ કે મદિરા માંસાહાર જેટલા તામસી અને દુર્બદ્ધિજનક છે તેટલા જ સાત્વિક અને બુદ્ધિકારક વનસ્પતિ આહાર છે. ઉપરના સદ્ગણે વનસ્પતિ આહારવાળી દુનિયામાં જ મળી શકશે. ધર્મ-અધર્મ પુણ્ય-પાપના વિવેકે એ દુનિયામાં જ જીવતા રહી શકે છે, માટે મદિરા અને માંસાહાર આત્માથી જેને સર્વથા વર્જનીય છે. અને એની છાયામાં પણ ઉભા રહેવું એ પાપ છે. વળી માંસ રંધાતું હોય તે વખતે પણ ત્રસ જીવેની ઉત્પત્તિ ચાલુ હોય છે. એમાં ઉપજતા જી માંસના સરખા જ રંગવાળા હોય છે. અંગ્રેજી દવાઓમાં પણ માંસ આવે છે. જેમકે– Cod Liver oil-કોડલિવર આઇલ–એમાં દરિયાની માછલીનું તેલ છે. એ માછલીનું નામ કેંડ છે.
SR No.023285
Book TitleShravak Dharm Vidhan
Original Sutra AuthorN/A
AuthorShubhankarvijay
PublisherZaverchand Ramaji Zaveri
Publication Year1949
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy