SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ શ્રાવકધર્મવિધાન નીચે કહેલા ૧૫ કમદાન વ્યાપાર અવશ્ય વર્જવા. તે આ પ્રમાણે – ૧ અંગારકર્મ અતિચાર–કયલા પાડવા, ભઠ્ઠીએ કરવી, ને કેયલા વેચવા (એમાં છએ કાયના જીની વિરાધના સાક્ષાત્ છે, માટે વર્જનીય છે.) ઉપલક્ષણથી, અગ્નિથી ચાલતાં બીજા પણ કારખાનાં વિગેરે મોટા આરંભ વજનીય છે. એમાં ભાડભુંજાને વ્યાપાર, કુંભારના નિભાડાને વ્યાપાર, લુહારી વ્યાપાર, સોનીને વ્યાપાર,કંસારાને વ્યાપાર, ઈટે પકવવી, ચૂને પકવવે. હથિયાર ઘડવાનાં કારખાનાં ચલાવવાં, સોનું, ચાંદી ગાળવી, લેખંડ આદિ ધાતુઓ ધવાનાં કારખાનાં ઈત્યાદિ અગ્નિજન્ય અનેક વ્યાપાર વર્જવા. - ૨ વનકર્મ અતિચાર–જંગલો કાપવાના કંટ્રાકટ રાખવા, ફલ ફળ પત્ર ઈત્યાદિ એકેક અંગના વ્યાપાર કરવા, (શાકભાજી વેચવા ઈત્યાદિ), લોટ દળવાના સંચાથી લેટ વિગેરે દળવા. દાળના ભરડવાનાં કારખાનાં કરવાં, અને વૈદકીય વ્યાપાર ઈત્યાદિ વ્યાપારમાં લીલી સુકી ઘણી વનસ્પતિઓની સાક્ષાત્ હિંસા છે, ને તે પ્રસંગે છએ જીવ નિકાયની હિંસા છે. ૩ શકટકર્મ અતિચાર–બળદ આદિ પશુઓ વડે વહન કરવા યોગ્ય સર્વ પ્રકારનાં વાહને ગાડાં ગાડીઓ વિગેરેના ધંધા, અર્થાત વાહને બનાવવા, વેચવા, વાહનેનાં અંગ બનાવવા વેચવાં,એ શકટકર્મ છે. (શકટ એટલે ગાડું) એમાં આગગાડીઓ સ્ટીમર વિગેરે યાત્રિક વાહને બના
SR No.023285
Book TitleShravak Dharm Vidhan
Original Sutra AuthorN/A
AuthorShubhankarvijay
PublisherZaverchand Ramaji Zaveri
Publication Year1949
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy