SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવના ક૯પલતા ૨૭૧ જ્યાં કાળનો રજ ભય નહીં તેવું પરમપદ પામતા, ધન્ય તે જે બાલ્ય વયમાં વિષયવીરને જીતતા.૩૪૧ અર્થકાલ તસ્કર એટલે મૃત્યુ રૂપી ચેર અચાનક (અકસ્માત) આવીને જીવન રૂપી ઉત્તમ રત્નને ચરે છે. એટલે મૃત્યુ કયારે આવશે તેની આપણને ખબર નથી. તેથી વિબુધ જન એટલે સમજુ માણસો ચારિત્ર સેવીને એટલે દીક્ષા લઈને જ્યાં કાળને લેશ માત્ર ભય નથી તેવા પરમપદ એટલે મોક્ષને મેળવે છે. માટે તેઓને ધન્ય છે. અને જેઓએ બાલ્ય વયમાં એટલે નાની ઉંમરમાં વિષય રૂપી મોટા વીરને અથવા વૈદ્ધાને જીત્યા છે તેવા ધર્મવીર ભવ્ય જીવોને પણ ધન્ય છે. ૩૪૧ જંબૂ કુંવર નભસેનાને જવાબ આપે છે – સ્વાધીન સુખ છડી ચો કિમ તન વિહ્વણુ શર્મને, એમ નભસેના કહે ચે કુંવર એમ જવાબને રેગાદિની પીડા ઘણી જ્યાં તેહવા નરદેહમાં, શું શમ ? ઈષ્ટ સમાગમે સમજુ સમજતા શાનમાં.૩૪ર અર્થ –હવે નભસેના નામે સ્ત્રી કહે છે કે હે કુમાર! સ્વાધીન એટલે પિતાને પ્રાપ્ત થએલ સુખને છોડીને તનવિહૃણું એટલે શરીર રહિત અવસ્થાના (સિદ્ધના) સુખને તમે કેમ ચાહો છે. આ વિષયભેગ વગેરેના સુખ તે શરીર વડે અનુભવાય છે અને તે તમને મળેલાં છે તે છેડીને તમે મેક્ષનું સુખ ચાહો છે. ત્યાં તે શરીર નથી . અને શરીર
SR No.023284
Book TitleBhavna Kalpalata
Original Sutra AuthorN/A
AuthorJain Granth Prakasha Sabha
PublisherJain Granth Prakasha Sabha
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy