SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ શ્રી વિજયપદ્મસૂરિકૃત સ્પષ્ટ ખુલાસા જણાવશે. મુનિએની સાથ તે ગુરૂ (આર્ય સુહસ્તિસૂરિ)ની પાસે આવ્યા. ને આહારની માંગણી કરી. જવાબ દેતાં ગુરૂએ જણાવ્યું કે જો તું સાધુપણું અ’ગીકાર કરે, તેા અમે તને આહાર દઇ શકીએ. ભૂખ્યા એવા તેણે ગુરૂમહારાજનું વચન કબુલ કર્યું. અને દીક્ષા અંગીકાર કરી. દીક્ષાના દિવસે ગજા ઉપરાંત આહાર કરવાથી તે જ રાત્રીએ મરણ પામ્યા. એકજ દિવસની દીક્ષા ( અવ્યક્ત સામાયિક )ના પણ એછે। પ્રભાવ નથી જ. તે સાધુ મરણ પામીને ત્રણ ખંડ પૃથ્વીને રાજા થયા. ૧ ચંદ્રગુપ્ત ૨ બિંદુસાર ૩ અશે ક ૪ કુણાલ ૫ સંપ્રતિ આ ક્રમે રાજા ચંદ્રગુપ્તની પછી પાંચમે નખરે સંપ્રતિ કહી શકાય. ઐતિહાસિક અવલેાકનના પરિણામે જાણી શકાય છે કે ખીજા ખીજા ગ્રંથામાં તેના અપાલિત, સંગત, સાતિ, સંપ્રતિ વિગેરે નામેા પણ જોવામાં આવે છે. અવસરે રાજ્ય પામ્યા બાદ એક વખત રાજા સંપ્રતિ ઝરૂખામાં એસી ઉજ્જચિની નગરીની શૈાભા જોઇ રહ્યા છે. આ વખતે પૂજ્ય શ્રી આ સુહસ્તિસૂરિજી મહારાજ રથયાત્રાના વરઘેાડામાં રાજમાર્ગે ચાલ્યા જાય છે. તેમને દેખતાં સંપ્રતિ વિચારમાં પડી જાય છે. વિશેષ ઊહાપાતુ કરતાં કરતાં જાતિસ્મરણુ જ્ઞાન પામ્યા. તે દ્વારા પૂર્વભવની ખીના જાણીને નીચે આવી ઉપકારી ગુરૂમહારાજને વંદન કરી પૂછ્યું કે–હે ભગવન્!
SR No.023284
Book TitleBhavna Kalpalata
Original Sutra AuthorN/A
AuthorJain Granth Prakasha Sabha
PublisherJain Granth Prakasha Sabha
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy