SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવના કલ્પલતા પહે અવસ્થા પણ બદલાય છે પહેલાં બાળ હાય છે, પછીથી જીવાન થાય છે અને અંતે વૃદ્ધ-ઘરડું થાય છે. વળી આ શરીર પરભવ જતાં સાથે આવતુ નથી, પરંતુ તેની તે અહીં ખાખ એટલે રાખ થઈ જાય છે. અથવા માટી સાથે મળી જાય છે. ૩૯ સંસારી જીવા શરીરના મે!હમાં સાઇને કેવા કેવા પાપ કરે છે, તે ટૂંકામાં જણાવે છે— હે જીવ ! તે તે દેહ કાજે છળ પ્રપંચા બહુ કર્યાં, નિયમ લીધેલા તને ધમ સાધન દૂર કર્યાં; ખાધાં અભક્ષ્ય પદાર્થ મર્યાદા તજી કુલધર્માંની; રાચી અધર્મ વિહંસા આકરી પણ ના ગણી. ૪૦ અથ:--હે જીવ! વ્હેલાં જણાવેલા સ્વરૂપવાળા શરીરના રક્ષણને માટે તે ઘણા પ્રકારના છળ પ્રપંચે એટલે કપટા કર્યાં, અને તેને માટે લીધેલા નિયમેાના પણ ત્યાગ કર્યાં, અને ધર્મનાં સાધનાને પણ દૂર મૂકયા, તથા નાશવંત શરીર માટે અભક્ષ્ય એટલે નહિ ખાવા ચાગ્ય પદાર્થો પેાતાના કુલધર્મોની મર્યાદાના ત્યાગ કરીને ખાધા, તથા અધના કાર્યોમાં રાચી એટલે આનંદ માની નિર્દય પણે જીવહિંસા કરવામાં પણ તેં કચાશ રાખી નિહ. ૪૦ શરીરનેા માહુ શુ શુ કામ કરાવે છે ? તે જણાવે છે:— જે દિવસના એ સહસ્ર રૂપિયા ફી લિએ તે પણ દઇ, સીવીલ સરજન પાસ ઉપચારા કરાવે મન ઇ;
SR No.023284
Book TitleBhavna Kalpalata
Original Sutra AuthorN/A
AuthorJain Granth Prakasha Sabha
PublisherJain Granth Prakasha Sabha
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy