SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણની પરંપરા સર્જાય. આ આશય-પંચકપૂર્વકની ધર્મક્રિયા જ યથાર્થ ફળને આપવામાં સમર્થ બને છે. અચરમાં વર્તમાં જ્યારે જીવ આવે છે, ત્યારે જ આ પ્રણિધાનાદિ આશય-પંચકને પામે છે. ચરમાવર્તકાળમાં જ જીવને વિમલ ભાવની પરિણતિ થાય છે. કારણ કે ત્યારે જ જીવનું ભવાભિનંદીપણું મંદ બને છે, યાવત્ એનો અભાવ થાય છે. અરે ! તત્ત્વ માર્ગની જિજ્ઞાસા પણ આ ચરમાવર્તનું લક્ષણ છે. જેમ રોગની પ્રબળ અસર પ્રવતઈતી હોય છે, ત્યારે પથ્યની ઇચ્છા નથી થતી તેમ. મોલમાં મુખ્ય હેતુ ભાવ છે, આન્તર પરિણતિ છે. આ આન્તર પરિણતિ તે જ યોગ છે. કારણ જીવનું મોક્ષની સાથે જોડાણ કરી આપે તે જ યોગ કહેવાય છે અને આ વિમલ પરિણતિ તે કાર્ય કરે છે. આવી વિમલ પરિણતિની ક્રિયાનો યોગ શરમાવર્તકાળમાં લાવે છે. ક્રિયાઓને સમ્યકત્વ વાસિત કરનાર પણ આ ભાવ ધર્મ છે. તાંબુ જે રસ વેધાયું, તે હમ - સુવર્ણ બની જાય છે. પછી ક્યારે પણ તે ફરી તાંબુ બનતું નથી. તેમ ક્રિયાઓ પણ ભાવસંપર્કથી મોક્ષફલ પ્રાપક બને છે. પાતળમાં વહેતા પાણીના ઝરા જેવો ભાવ છે અને કૂવાને ખોદવા જેવી ક્રિયા છે. યોગદષ્ટિ સમુચ્ચયમાં (શ્લોક પ૩) શ્રી હરિભદ્રસૂરિજી મહારાજે અને યોગદષ્ટિ સ્વાધ્યાયમાં પૂ. ઉપાધ્યાયજી મહારાજે આ ભાવ સુંદર ગૂંચ્યો છે. ભાવરહિત ક્રિયા અને ભાવસહિત ક્રિયા બન્ને વચ્ચેનું અંતર સૂરજ અને આગિયા જેટલું છે. આ જ વાતને બીજા ઉદાહરણથી સ્પષ્ટ કરે છે : મંડૂકચૂર્ણ અને મંડૂક ભસ્મચૂર્ણમાં તફાવત છે. ક્રિયાથી જે પ્રાપ્તિ થાય છે, તેની અપેક્ષાએ ભાવથી થતી પ્રાપ્તિ અનેક ગુણ ચઢિયાતી છે. જેમ કે ક્રિયા નય અને જ્ઞાન નયની પણ આ જ ફલશ્રુતિ છે. પછી તે જ વાત વ્યવહારનય અને નિશ્ચયનય શબ્દ દ્વારા પણ વિચારી શકાય છે. જીવના પર્યાયોમાં પરિવર્તન આવે છે. ચૌદ ગુણસ્થાનક અને ગતિ-ઇન્દ્રિય વગેરે માર્ગણા પરિણામ ર પર્યાયના છે. જ્યારે જીવ તો શુદ્ધ જ્ઞાયક સ્વભાવવાળો છે. આ આચારાંગ સૂત્રમાં પણ કહ્યું છે : ઉપાધિ કર્મથી થાય છે, શુદ્ધનયથી શ્રુતજલધિ પ્રવેશ નાવા
SR No.023280
Book TitleShrut Jaldhi Praveshe Nava
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy