SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થ જાણવાથી માર્ગનું શેધન-બોધન ચાલુ રહે. માર્ગ અંગેની સમજણ પણ સ્પષ્ટ હોવી જરૂરી છે. આ અંગે છૂટુંછવાયું આપણને મળે છે. ઉપદેશમાળામાં, પૂ. હરિભદ્રસૂરિજી મહારાજના ગ્રંથોમાં પણ મળે છે પણ અહીં સંક્ષેપમાં એક જ સ્થળે જ મળે છે તે ઘણું મહત્ત્વનું છે. જોકે આ જ વિષય તેઓશ્રીના સવાસો ગાથાના સ્તવનમાં સાતમી ઢાળમાં રમણીય શબ્દોમાં નિરૂપાયો છે. ત્યાં ત્રણ માર્ગનું નિરૂપણ છે અને તેનો ક્રમ બહુ ગંભીર છે. જોકે તેમની સામે ઉપદેશમાળાની ગાથાઓ છે જ. તેઓ મૂળ વિના અક્ષર પણ પાડતા નથી. ત્રણ માર્ગમાં પહેલો સાધુનો માર્ગ. બીજો વરશ્રાવકનો માર્ગ અને ત્રીજો સંવિગ્ન પાક્ષિકનો માર્ગ. આ ત્રણને શિવ-મોક્ષના માર્ગ કહ્યા છે તો બાકીના ત્રણને ભવના સંસારવૃદ્ધિના કારણ કહ્યા છે. તે ત્રણમાં પ્રથમ ગૃહસ્થ, બીજો યતિલિંગ અને ત્રીજો કુલિંગ. આ ત્રણે ભવના માર્ગ છે. હવે પહેલા જે શિવના ત્રણ માર્ગ છે તેની વાત વિચારીએ : પ્રથમ સાધુ એ માર્ગ છે. એટલે કે પંચ મહાવ્રતોનું તેની પચીસ ભાવના સાથેનું નિર્મળ પાલન, નવાકોટી શુદ્ધ બ્રહ્મચર્ય અને પિંડવિશુદ્ધિનો આગ્રહ, અપ્રમત્ત સદા રહે તે વગેરે જે મુનિપણું શ્રી આચારાંગ સૂત્રમાં પ્રરૂપ્યું છે કે જેમાં હોય. સાડા ત્રણસો ગાથાના સ્તવનની પંદરમી ઢાળમાં જે નિરૂપણ છે, લક્ષણોનું વર્ણન છે તે સાધુપણું આરાધક ભાવના નિત્ય ચઢતા પરિણામે સંયમ સ્થાનકની શ્રેણિએ વર્ધમાન પરિણામ ધારાએ વર્તે, પ્રશમ-સવેગમાં ઝીલે તે સાધુ શીઘ કર્મોની નિર્જરા કરે અને તે માર્ગ શ્રેષ્ઠ છે, આદર્શ છે. હવે આ કોટીએ જે પહોંચી શકેલ નથી અને શકે તેમ નથી. એ માર્ગનું આચરણ કરવામાં જોઈતા બળપરાક્રમ-વીર્યને ફોરવવાનું તેનું ગજુ નથી. હા, તેને એવા શુદ્ધ માર્ગની પ્રીતિ છે. તે માર્ગી પ્રત્યે ભક્તિ છે, તેને શું કરવું ? આ એક વિકટ પ્રશ્ન છે.તેનો ઉત્તર સંવિન પક્ષિ: ચાત્ નિમ: સાધુ સેવ: સાધુ સેવકઃ એ હવે પછી વિચારીશું : પહેલાં બ્રુતજલધિ પ્રવેશે નાવા પ૬|
SR No.023280
Book TitleShrut Jaldhi Praveshe Nava
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy