SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ બત્રીશી ત્રીજી માર્ગ બત્રીશી દેશના આપવાથી માર્ગની વ્યવસ્થા થાય છે. માટે માર્ગની વિચારણા જરૂરી છે. એ માર્મની વિચારણા આજે ઘણી અગત્યની છે. માર્ગના પ્રકાર બે : શાસ્ત્ર અને પરંપરા. ભગવાને કહેલાં વચનો એ માર્ગ છે. સંવિગ્ન-ગીતાર્થ પુરુષોએ આચરેલા આચારો - પરંપરાએ માર્ગ છે. જે ગીતાર્થ પુરુષોએ આચરણા કરી છે તેનુ મૂળ પણ આગળ હોઈ શકે, એવું અનુમાન કરીને એ પંરપરાને પણ આગળની [૫૫ જેટલી જ માન્યતા આપવી જોઈએ. સૂત્રમાં જ માર્ગને ઉત્સર્ગ માર્ગ કહ્યો હોય તે માર્ગને પુષ્ટાલંબનના કારણે ક્યારેક કારણ વિશેષ અપવાદ માર્ગ આચરે તો તે પણ માન્ય જ બને છે. જે બાબતનો આગમગ્રંથોમાં સર્વથા નિષેધ નથી દર્શાવ્યો. અને ગીતાર્થ પુરુષ દ્વારા તેનું આચરણ દેખાતું હોય તો પંડિતપુરુષો તેને સ્વમતિ વિકલ્પનાથી દૂષિત કરતા નથી. એ અસત્ ઠેરવતા નથી. માર્ગની રક્ષાને કાજે પ્રસંગે પ્રસંગે સાધ્વાચારનું જ્ઞાન શ્રાવકોને આપવું જ જોઈએ. શ્રાવકોને માટે જ વિશેષણો આવે છે : લદ્ધ8ા, ગહિયકા, પુચ્છિયા, અર્થાત્ સૂત્રના અર્થો જેણે મેળવ્યા છે, ગ્રહણ કર્યા છે, પૂછીને નિશ્ચિત કર્યા છે. એટલે યોગ્ય શ્રાવકોને આ સૂત્રોનો
SR No.023280
Book TitleShrut Jaldhi Praveshe Nava
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy