SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ અને ધનાયક ભાતિક, નૈતિક તથા આધ્યાત્મિક સંબંધેાના યથાય દન ઉપર ધર્મની રચના કરવામાં આવી છે. ૧૨૦ જ્યાંસુધી મનુષ્ય આ શાશ્વત નિયમેાને સમજી શકતા નથી ત્યાંસુધી ખાટા અનુમાના કરતા રહે છે અને તેને જ ધર્મ માની બેસે છે. અગ્નિની જવાળા શાન્ત થઈ જવાથી જેમ અગ્નિમાંથી ધુમા નીકળે છે તેમ મનુષ્યબુદ્ધિ અને મનુષ્યહૃદય જ્યારે જડ થઈ જાય છે અને આત્મજાગૃતિ મંદ થઈ જાય છે ત્યારે આવાં ભ્રમા ઊપજે છે. નાસ્તિકતારૂપી પાણીદ્વારા લાકભ્રમરૂપી હૃદયની અગ્નિને શાન્ત કરવા એ સાચા ઉપાય નથી પરંતુ સાચા ઉપાય તે એ છે કે આવા સમયે જિજ્ઞાસા અને અનુભવરૂપી ક્થી ધાર્મિકતાને સચેત કરી ધર્મની યાતિને ફરી જાજવલ્યમાન કરવી એ છે. ધર્મશિક્ષા અને ધર્મના ઊંડા ચિન્તન-મનનથી લોકભ્રમને નાશ અને ધર્મના ઉદય થાય છે. અજ્ઞાન-કુજ્ઞાન અને ભય—લાલચ એ ધર્મના કટ્ટર શત્રુઓ છે. કારણ કે ધર્મના નાશ કરનાર લેાકભ્રમ, અજ્ઞાન અને લયમાંથી જ પેદા થાય છે, ઋષિ-મુનિઓ તથા ધર્મ–સંસ્થાપકા જ્યાંસુધી પોતાની શ્રદ્ધા અને પેાતાના સ્વાનુભવની વાતા કરે છે ત્યાંસુધી તે તેમાં શુદ્ધ સત્ય અથવા સનાતન ધર્મના વાસ હાય છે પણ જ્યારે તેઓ અથવા તેમના અનુયાયીએ રૂઢ માન્યતાઓને અથવા પોતાની કલ્પનાઓને જેટલી ગફલતથી, અજ્ઞાનથી કે જાણીબુજીને ધ'માં ભેળવી દે છે તેટલી અશુદ્ધિ તે ધર્મમાં આવી જાય છે અને જ્યારે ધર્મના આંધળા અનુયાયીઓ એ અશુદ્ધ થયેલા ધર્મને પકડી રાખે છે ત્યારે ધર્મસેવકાના હાથે જ ધર્મને પરાજય થાય છે. (૨) ધર્મ-સંસ્કરણ માનવજીવનને ચારે બાજુથી વિચાર કરનારા ને કાઈ હાય તો તે ધર્મ જ છે. જીવનનું સ્થાયી અથવા અસ્થાયી એકપણ એવું
SR No.023275
Book TitleDharm Ane Dharm Nayak
Original Sutra AuthorN/A
AuthorShantilal Vanmali Sheth
PublisherShantilal Vanmali Sheth
Publication Year
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy