________________
306
જૈન ધર્મ સાર સંદેશ નિશ્ચિત કરીને તથા બાહ્ય પદાર્થો સંબંધી સુખો અને શરીરને શૂન્ય કરીને હંસરૂપ પુરુષ અર્થાત્ અત્યંત નિર્મળ અત્મા કેવલી થઈ જાય છે.83
આચાર સાર માં શૂન્ય ધ્યાનમાં લીન ધ્યાનીની અવસ્થાની તરફ સંકેત કરતાં કહેવામાં આવ્યું છેઃ
બધા રસ વિરસ થઈ જાય છે, કથા ગોષ્ઠી અને કૌતુક વિઘટ (હટી) જાય છે, ઇંદ્રિયોના વિષય મૂરઝાઈ જાય છે, તથા શરીરમાં પ્રીતિ પણ સમાપ્ત થઈ જાય છે. જ્યાં ન ધ્યાન છે, ન ધ્યેય છે, ન ધ્યાતા છે ન કંઈ ચિંતવન છે, ન ધારણાના વિકલ્પો છે, આવા શૂન્યને સારી રીતે માણવું જોઈએ. શૂન્ય ધ્યાનમાં પ્રવિષ્ટ યોગી સ્વસ્વભાવથી સંપન્ન, પરમાનંદમાં સ્થિત તથા પ્રગટ ભરિતાવસ્થાવત્ (પરિપૂર્ણાવસ્થા જેવા) હોય છે. ધ્યાન યુક્ત યોગીને જ્યાં સુધી કંઈ પણ વિકલ્પ ઉત્પન્ન થતા રહે છે, ત્યાં સુધી તે શૂન્ય ધ્યાન નથી, તે કાં તો ચિંતા છે અથવા ભાવના. 84
ધ્યાતાના આવશ્યક ગુણ ધ્યાનના ભેદો પર વિચાર કર્યા અને ધ્યાનના અંતિમ લક્ષ્યને સમજ્યા બાદ આપણે એ પણ જાણવું જોઈએ કે ધ્યાનના આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ધ્યાતાએ કેવા હોવું જોઈએ. જો સાધક એ જાણી લે કે ધ્યાનના અભ્યાસમાં સફળ થવા માટે કયા ગુણોથી યુક્ત હોવું આવશ્યક છે તો તે ગુણોને ગ્રહણ કરવા માટે ભરપૂર પ્રયાસ કરી શકે છે. ધ્યાતા માટે જે ગુણ આવશ્યક છે તેનો સ્પષ્ટ ઉલ્લેખ જ્ઞાનાર્ણવમાં આ પ્રમાણે કરવામાં આવ્યો છેઃ
શાસ્ત્રમાં એવા ધ્યાતાની પ્રશંસા કરવામાં આવી છે જે મુમુક્ષુ હોય, અર્થાત્ મોક્ષની ઇચ્છા રાખનારો હોય. કારણ કે જો એવો ન હોય, તો મોક્ષના કારણે ધ્યાન શા માટે કરે? બીજો સંસારથી વિરક્ત (અનાસક્ત) હોય, કારણ કે સંસારથી વિરક્ત (અનાસક્ત) થયા વિના ધ્યાનમાં ચિત્ત શા માટે લગાવે? ત્રીજો ક્ષોભરહિત શાંત ચિત્ત હોય, કારણ કે વ્યાકુળચિત્તથી ધ્યાનની સિદ્ધિ થઈ શકતી નથી. ચોથો