SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મની પ્રાચીનતા એમણે જીવોના કલ્યાણ માટે જૈન ધર્મનો ઉપદેશ આપવામાં અને એનો વિકાસ કરવામાં લગાવી દીધું. અંતમાં બિહારના પાવાપુરીમાં એમણે પોતાના શરીરનો ત્યાગ કર્યો. જૈન ધર્મનો વિકાસ કરવામાં અને એને વર્તમાન રૂપ આપવામાં મહાવીરનું યોગદાન સૌથી વધુ છે. એટલા માટે જૈન ધર્મમાં એમને સૌથી વધુ મહત્ત્વપૂર્ણ સ્થાન પ્રાપ્ત છે. વૈશાલી અને મગધના પ્રસિદ્ધ રાજપરિવાર સાથે સંબંધ હોવાને કારણે જૈન ધર્મના પ્રચારમાં એમને સફળતા પણ ખૂબ વધારે મળી. બુદ્ધ અને મહાવીરના સમકાલીન હોવાને અને તે બન્નેના ધર્મ-પ્રચારનાં ક્ષેત્ર પણ મોય ભાગે એક હોવાને કારણે બોદ્ધ ધર્મના પ્રાચીનતમ ગ્રંથ વાલિ ત્રિપિટક દ્વારા મહાવીરના જીવન અને તેમના વિચારોના સંબંધમાં કેટલીય વાતો જાણવા મળે છે. બુદ્ધ અને મહાવીર બન્નેને જ શ્રમણ-પરંપરા સાથે સંબંધિત માનવામાં આવે છે અને બન્નેના વિચારોમાં કેટલીક સમાનતાઓ પણ દેખાય છે. આ બન્નેના ધર્મગ્રંથોનું તુલનાત્મક અધ્યયન કરતાં એટલું અવશ્ય સમજાય છે કે બુદ્ધ અને મહાવીર સમકાલીન હતા તથા જૈન ધર્મની પરંપરા મહાવીર કરતાં પણ ઘણી આગળથી ચાલી આવી રહી હતી. પરંતુ તે પરંપરાગત ધર્મમાં આવશ્યક સુધારા લાવવા અને તેના સિદ્ધાંતો અને આચાર-નિયમોને નિશ્ચિત રૂપ આપવામાં મહાવીરનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. જૈન ધર્મના કેટલાક આચાર-નિયમો પર મહાવીર અને તેમના પૂરોગામી તીર્થંકર પાર્શ્વનાથના વિચારોની તુલના કરવાથી એ સ્પષ્ટ થઈ જાય છે કે મહાવીરે બદલાતી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને જેન ધર્મમાં આવશ્યક સુધારા કર્યા. જૈન ધર્મના ઉત્તરાધ્યયન સૂત્રxx માં પાર્શ્વનાથની પરંપરાને માનનારા કેશી અને મહાવીરના શિષ્ય ગૌતમની વચ્ચે બે આચાર-નિયમોના સંબંધમાં સંવાદ થયાનો ઉલ્લેખ છેઃ (1) જૈન પરંપરા અનુસાર પાર્શ્વનાથ “ચાતુર્યામ” અર્થાત્ કે ચાર સંયમ (અહિંસા, સત્ય, અસ્તેય અને અપરિગ્રહ)નો ઉપદેશ આપતા હતા જ્યારે મહાવીરે “પંચયામ' અથવા પંચ મહાવ્રત' (અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ) નો પ્રચાર કરીને બ્રહ્મચર્યના નવા નિયમને તેમાં જોડી દીધો. (2) પાર્શ્વનાથે કટિવસ્ત્ર અને ઉત્તરીય ધારણ કરવું અર્થાત્ કમર પર વસ્ત્ર વિટાળવું અને ખભા પર વસ્ત્ર નાખવાની અનુમતિ
SR No.023273
Book TitleJain Dharm Sar Sandesh
Original Sutra AuthorN/A
AuthorKashinath Upadhyay
PublisherRadha Swami Satsang Byas
Publication Year2012
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy