________________
અંતર્મુખી સાધના
281 આ સંસારરૂપી સમુદ્ર માનસિક, વાચનિક, કાયિક અથવા જન્મ-જરામરણથી થનારા, ત્રણ પ્રકારના સંતાપોથી ભરાયેલો છે. એમાં પડેલા જીવ નિરંતર દુઃખ ભોગવતા રહે છે. તેમના દુઃખનું વારંવાર ચિંતવન કરવું તે અપાયરિચય નામનું ધર્મધ્યાન છે. અથવા તે દુઃખોને દૂર કરવાની ચિંતાથી તેમને દૂર કરનારા અનેક ઉપાયોનું ચિંતવન કરવું પણ અપાયરિચય કહેવાય છે. બાર અનુપ્રેક્ષા તથા દસ ધર્મ આદિનું ચિંતવન કરવું આ જ અપાયરિચય નામના ધર્મ ધ્યાનમાં સામેલ સમજવું જોઈએ.38
જ્ઞાનાર્ણવમાં અપાય વિચયને આ શબ્દોમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છેઃ જે ધ્યાનમાં કર્મોનો અપાય (નાશ) થાય, તથા જેમાં ચિંતવન કરવામાં આવે કે આ કર્મોનો નાશ કયા ઉપાયથી થશે, તે ધ્યાનને બુદ્ધિમાન પુરુષોએ અપાયરિચય કહ્યું છે.
પછી એવું વિચારીએ કે જે પ્રમાણે અન્ય ધાતુ (પાષાણ)માં મળેલું કંચન (સોનું) અગ્નિથી શોધન કરી, શુદ્ધ કરવામાં આવે છે, તે જ પ્રમાણે હું પ્રબળ ધ્યાનરૂપ અગ્નિ દ્વારા કર્મોના સમૂહને નષ્ટ કરીને, આત્માને ક્યારે શુદ્ધ કરીશ?
મોક્ષમાર્ગમાં વિપ્નને, માટે કઈ વિધીથી તેય,
એમ ચિંતે જ્ઞાની જયારે, વિચય અપાય તે હોય.19
કર્મો અનુસાર ફળ ઉત્પન્ન થવાને જ કર્મવિપાક કહે છે. ધર્મધ્યાનના ત્રીજા ભેદ વિપાકવિચયમાં મોક્ષાર્થી કર્મોથી છુટકારો પામવાના ઉપાયમાં દઢતાથી લાગેલા રહેવા માટે વારંવાર ધ્યાન કરે છે.
- આદિપુરાણમાં વિપાકવિચય ધર્મધ્યાનને આ શબ્દોમાં સમજાવવામાં આવ્યું છેઃ
શુભ અને અશુભ ભેદોમાં વિભક્ત થયેલા કર્મોના ઉદયથી સંસારરૂપી આવર્ત (ચક્ર)ની વિચિત્રતાનું ચિંતવન કરનારા મુનિને જે ધ્યાન થાય છે તેને આગમને જાણનારા ગણધરાદિ દેવ વિપાકવિચય નામનું ધર્મધ્યાન માને છે. ... કારણ કે કર્મોના વિપાક (ઉદય)ને જાણનારો મુનિ તેમને