________________
69જી અંતર્મુખી સાધના
આ કહેવામાં આવી ચૂક્યું છે કે, બધા જીવોને સુખની ઇચ્છા હોય છે. સંસારી મનુષ્યો સાંસારિક વિષયોમાં સુખ શોધવાની કોશિશ કરે છે. એટલા માટે તેમનું મન ઈન્દ્રિયોના માધ્યમ દ્વારા હમેશાં સાંસારિક વિષયોની તરફ દોડતું રહે છે. પરંતુ તેમને કોઈપણ સાંસારિક વિષય-ભોગથી, જે ક્ષણિક અને ભ્રામક છે,
ક્યારેક તૃપ્તિ થતી નથી. તેઓ સદા દુઃખી જ બનેલા રહે છે. આત્મા સ્વયં જ સાચા સુખનો ભંડાર છે. એટલા માટે સાચા સુખની પ્રાપ્તિ માટે બહાર દોડનારા મનને બાહ્ય વિષયોથી વાળીને અંતરમાં લાવવાની અને એને આત્મસ્વરૂપમાં લીન કરવાની આવશ્યકતા છે. બધી સુખ-શાંતિ તથા શક્તિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ પોતાના અંતરમાં જ થાય છે. બાહ્ય વિષય મિથ્યા અને નશ્વર છે. એ જ કારણ છે કે સંસારમાં અનાસક્ત રહેનારા બધા સાચા સંત-મહાત્મા જીવોને બહિર્મુખી કર્મ-ધર્મને ત્યાગવા અને અંતર્મુખી સાધનાને અપનાવવાનો ઉપદેશ આપે છે. સંતોના ઉપદેશની આ જ વિશેષતાની તરફ ધ્યાન દોરતા કાનજી સ્વામી કહે છેઃ
અહી, વીતરાગમાર્ગી સંતોની કથની જ જગથી જુદી છે, તે અંતર્મુખ લઈ જનારી છે.
પૂર્ણ સંતોની વાત જ જગતથી નિરાળી હોય છે. તેઓ અંતર્મુખી સાધનાનો ઉપદેશ આપે છે. આ અંતર્મુખી સાધના માટે સાધકે કોઈ સાચા સંત-સદ્ગુરૂની પાસે જઈને તેમની પાસેથી અંતર્મુખી સાધનાની જાણકારી પ્રાપ્ત કરવાની જરૂર હોય છે. અંતર્મુખી સાધનામાં સૌથી પહેલાં સદા બહાર ભટકતા રહેનારા મન પર નિયંત્રણ કરવું આવશ્યક છે. મન પર નિયંત્રણ કર્યા વિના અંતર્મુખી ધ્યાનનો
264