________________
262
જૈન ધર્મ સાર સંદેશ દુઃખ) વગેરેથી પીડિત હોય, તથા શીત ઉષ્ણતા વગેરેથી પીડિત હોય તથા નિર્દય પુરુષોની નિર્દયતાથી રોકાયેલા પીડિત કરેલા) મરણના દુઃખને પ્રાપ્ત હોય, આ પ્રમાણે દુઃખી જીવોને જોવા-સાંભળવાથી તેમનાં દુઃખ દૂર કરવાના ઉપાય કરવાની બુદ્ધિ હોય તેને કરુણા નામની ભાવના કહે છે.16
ચોથી ભાવનાને માધ્યચ્ય ભાવના કહે છે. જે લોકો અનેક પ્રકારની વિષય-વાસનાઓમાં બૂરી રીતે લિપ્ત (આસકત) છે, બધા સાથે સદા દુષ્ટતાનો વ્યવહાર કરે છે, બધાને સતાવવાં કે કષ્ટ આપવું જ જેમનો સ્વભાવ છે, જે પોતાના કલ્યાણની વાત સાંભળવા પણ તૈયાર નથી અને અકારણ પરમાત્માસ્વરૂપ જિનેન્દ્રદેવ, સદગુરુ અને સૉંથોની નિંદા કરે છે, તેમને સમજાવવા-બૂઝાવવાની ચેષ્ટા કરવી પથ્થર પર તીર મારવા સમાન જ નિષ્ફળ છે. તેવી સ્થિતિમાં તેમને સમજાવવા કે કોઈ રીતે છેડવાં પોતાની જાતને વ્યર્થ જ સંકટમાં નાંખવી છે. તેમના પ્રતિ વ્યર્થ ચિંતા કરવાથી કે પરેશાન થવાથી કોઈ લાભ નથી. એટલા માટે પરમાર્થના સાધકે તેમના પ્રતિ રાગ-દ્વેષ ન કરતાં તટસ્થતા કે ઉદાસીનતાનો ભાવ અપનાવવો જ ઉચિત છે. આ ઉદાસીનતાની ભાવનાને જ માધ્યચ્ય ભાવના કહે છે. જ્ઞાનાવમાં આ ભાવનાને આ પ્રમાણે વ્યકત કરવામાં આવી છેઃ
જે પ્રાણી ક્રોધી હોય, નિર્દય અને દૂરકર્મી હોય, માંસ મધ અને પર-સ્ત્રીમાં લુબ્ધ (લંપટ) તથા આસક્ત વ્યસની હોય, અને અત્યંત પાપી હોય તથા દેવ-શાસ્ત્ર ગુઓના સમૂહની નિંદા કરનારા અને પોતાની પ્રશંશા કરનારા હોય તથા નાસ્તિક હોય, એવા જીવોમાં રાગદ્વેષરહિત મધ્યસ્થભાવ હોવો તેને ઉપેક્ષા ક્કી છે. ઉપેક્ષા નામ ઉદાસીનતા (વીતરાગતા)નું છે, તેથી આ જ મધ્યસ્થભાવના છે.47
આ ચારે ભાવનાઓને નાથુરામ ડોંગરીય જેને ઘણા જ સંક્ષિપ્ત રૂપમાં સરળ અને સુંદર ઢંગથી પ્રસ્તુત કરી છે. તેઓ કહે છેઃ
સત્વેષ મૈત્રી ગુણિપુ પ્રમોદ, ક્લિષ્ટપુ જીવેષ કૃપાપરત્વ માધ્યસ્થ-ભાવ વિપરીત-વૃત્તો, સદા મમાત્મા વિદધાતુ દેવ!