SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ |સંભારતા હતા. સાંજે તો આ સંઘ જે ગામમાં પડાવ નાંખતો ત્યાં મેળો ભરાતો. બાર બાર ગાઉથી જૈનો - જૈનેતરો શ્રી સંઘનાં દર્શન કરવા આવતા અને ધન્યતા અનુભવતા. I રાતે સંઘની બેઠક જામતી. ગામે ગામથી “અમારા ગામે પધારો” “અમારું સ્વાગત સ્વીકારો” નું દબાણ થતું. અને શ્રી સંઘવી તરફથી જે ગામમાં જે ચીજ-વસ્તુની ત્રુટિ હોય તે ત્રુટિ (ખોટ-ઉણપ) પૂરી કરવા યોગ્ય દાન અપાતું. શાસનનો પ્રભાવ શું - તેનું તાદેશ દેશ્ય આ સંઘમાં જોવા મળતું. વિ.સં. ૧૯૮૩ના માગસર વદ ૧૩ના દિવસે સંઘે ખૂબ ધામધૂમપૂર્વક પ્રયાણ કર્યું. આ સમયે | મુંબઈ, રાધનપુર, અમદાવાદ, ધ્રાંગધ્રા, લખતર વગેરે ગામોના ગૃહસ્થો આવ્યા હતા. પ્રયાણ વખતે પૂ. આ. વિજ્યનેમિસૂરીશ્વરજી મ., પંન્યાસ ભક્તિવિજયજી મ. (રાધનપુરવાળા) હતા. પહેલો મુકામ પાટણની બહાર કણસડા દરવાજે રાખેલો કે જ્યાં ચાર દિવસ તંબુ તાણેલા. સંઘની વ્યવસ્થા એવી રીતે હતી કે વચ્ચે ધ્વજા પતાકાથી શણગારેલ ચાંદીનું દેરાસર, એક બાજુ આચાર્ય ભગવંતોના તંબુઓ, તો બીજી બાજુ સંઘવીના તંબુ, કચેરી ઓફિસ વગેરે. અને તેની પાછળ પદ્ધતિસર ક્રમબદ્ધ રાવટીઓ નંખાઈ હતી. દેરાસરને ચાર ।દરવાજા રાખેલા. ચાંદીના ગઢ ઉપર ચિંતામણી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા પધરાવવામાં આવી હતી, અને I |ઉપર ચોમુખ (ધાતુમય) બિરાજમાન કરવામાં આવ્યા હતા. અગાઉની વ્યવસ્થાનો વિચાર સંઘની ઓફિસમાં I સાંજે કરવામાં આવતો. પાટણ બહાર પહેલા મુકામ પછી કુણઘેર, હારીજ થઈ સંઘ પોષ સુદ ૬ ના દિવસે શંખેશ્વર પહોંચ્યો. છઠ, સાતમ અને આઠમ - ત્રણ દિવસ ત્યાં સ્થિરતા કરી. આઠમના દિવસે શેઠના મોટા પુત્ર સેવંતીલાલ અને તેમનાં પત્નીને ૫.પૂ. આચાર્યદેવ| વિજ્યનેમિસૂરીશ્વરજી મ. ના વરદ્ હસ્તે તીર્થમાળાનું આરોપણ કરવામાં આવેલું. તે વખતે પૂ. આ. વિજ્યનીતિસૂરીશ્વરજી મ., પ.પૂ. પં. ધર્મવિજ્યજીમ. (ડહેલાવાળા) વ. અઢીસો સાધુ-સાધ્વીઓનો સમુદાય હાજર હતો. આ પછી પંચાસર, દસાડા, માંડલ થઈ આ સંઘ ઉપરિયાળા પહોંચ્યો અને પોષ સુદ ૧૪-૧૫ એમ બે દિવસ રહ્યો. અહીં સાધુ સાધ્વીના લગભગ ત્રણસો ઠાણા થયા. સંઘના પ્રારંભથી જ ધ્રાંગધ્રા દરબાર અને તેમના દીવાનનો પૂર્ણ સહકાર હતો. તેમણે અગાઉથી જ સંઘપ્રયાણ વેળા રાજ્યના ચોકીદારો મોકલેલા. પોષ વદ ચોથ, પાંચમ, છઠ ધ્રાંગધ્રામાં રોકાયા. દરબારે ભવ્ય સામૈયું કર્યું અને નવકારશી કરી સંઘવીને માનપત્ર આપ્યું. અહીં ધ્રાંગધ્રાના જૈનસંઘ તરફથી ધ્રાંગધ્રાનરેશ ઘનશ્યામસિંહજીને માનપત્ર આપવામાં આવ્યું. તેનો |પ્રત્યુત્તર વાળતાં મહારાજાએ જૈનો માટે ખૂબ સુંદર શબ્દો ઉચ્ચાર્યા. પાટણના સંઘ માટે ખૂબ સુંદર કહ્યું . | દરબાર તરફથી સંઘવી, તેમના ભાઈઓ અને તેમના પુત્રોને પોષાકની ભેટ આપવામાં આવી. સાથે સાથે એવી જાહેરાત કરી કે રાજ્યમાં વર્ષમાં બાર દિવસ અમારી (અહિંસા) પાળવી. ભંગ કરનારને છ માસની સખત કેદની સજા અને ૧૦૦૦ એક હજાર રૂા. દંડ જાહેર કર્યો. ધ્રાંગધ્રા છોડ્યા બાદ સંધ પોષ વદ ૧૩ના રોજ કચ્છના સીમાડે આવ્યો ત્યાં સુધી સંઘના સંચાલકોને ખબર નહોતી કે કચ્છના રાવ આપણને સત્કા૨શે કે હેરાન કરશે ! લોકોને ભય હતો કે કચ્છમાં આપણાં પોટલાં છોડાવશે, જકાતની માથાફૂટ થશે અને સંઘ હેરાન [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા ૨૨]
SR No.023272
Book TitleMara Sansmarno Yane 50 Varshni Jain Shasanni Aachi Ruprekha
Original Sutra AuthorN/A
AuthorMafatlal Jhaverchand Gandhi
PublisherMafatlal Jhaverchand Gandhi
Publication Year2001
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy