________________
1
પત્રવ્યવહાર શરૂ કર્યો. ચંદ્રસાગરજી મહારાજ ઉજજૈન તરફ બિરાજતા હતા તેમની સાથે અને પાલિતાણા | રૂબિરાજતા નંદનસૂરિ મ. સાથે પત્રવ્યવહાર શરૂ કર્યો. અને બધાને અમદાવાદ આવવા આમંત્રણ આપ્યું. 1 આ પત્ર વ્યવહાર ચાલતો ત્યારે હું કેશુભાઈ શેઠને ખાસ કહેતો કે ‘‘આ પત્રવ્યવહાર કરતા કોઈ પણ વાતમાં બંધાઈ ન જાઓ તે ધ્યાન રાખશો.” તે કહેતાં “હું ધ્યાન રાખુ છું, છતાં રામચંદ્રસૂરિ સાથેનાં પત્રવ્યવહારમાં તેઓ એવું જણાવી ચૂક્યા હતા કે ‘‘તમે અહીં પધારો, તિથિ-સંબંધી શાસ્રીય વિચાર થશે.” । Iઆ વાતને ધ્યાનમાં રાખી રામચંદ્રસૂરિજી મ. વિહાર કરી અમદાવાદ પધાર્યા. પૂ. ઉદયસૂરિજી મહારાજ પણ અમદાવાદ પધાર્યા. નંદનસૂરિજી મ.પાલિતાણા હતા તેમને પધારવા આગ્રહ થયો, પણ તે ચોક્કસ ભૂમિકા ન થાય ત્યાં સુધી પધારવાનાં વિચારના ન હતા. આથી તેમણે પ્રથમ સાગરજી મ.ના ભક્તોને બોલાવી કહ્યું કે “હું અમદાવાદ જાઉં અને તિથિનો પ્રશ્ન ચર્ચાય ત્યારે તમારા તરફથી સાગરજી મહારાજ દ્વારા jભા.સુ.પાંચમની ક્ષય વૃદ્ધિએ ત્રીજની ક્ષય-વૃદ્ધિ કરવાનો પ્રસંગ દૂર કરી છઠ્ઠની ક્ષયવૃદ્ધિનો પ્રસંગ આવે અને Iતે કરતાં સામો પક્ષ, બાર પર્વતિથિ અખંડ રાખવા તૈયાર થાય, અને એમનાં નવાં પંચાંગો બંધ કરે તેવું બને I તે વખતે તમારા તરફથી સહકાર મળે તેવું હોય તો હું જાઉં”. આ ભક્તોએ શાસનનું ઐક્ય થતું હોય તો અમે અમારાથી બનતો યોગ્ય પ્રયત્ન કરીશું, તેવી હૈયાધારણ આપેલ. આ પછી તેઓ વિહાર કરી અમદાવાદ આવ્યા, અને બકુભાઈ શેઠના બંગલે ઊતર્યા. આ પછી જે વિગત બની તે બધી વિગત તિથિના પ્રશ્નમાં અગાઉ લખાઈ ચૂકી છે એટલે અહીં ફરી લખતા નથી.
(૫) ત્રીજું મુનિ-સંમેલન : ૨૦૪૪
વિ.સં. ૨૦૪૪ માં પંકજ સોસાયટીમાં જે મુનિ સંમેલન થયું અને તેના ઠરાવો થયાં તેની પૂર્વ ભૂમિકા વિ.સં. ૨૦૪૨ની હતી.
વિ.સં. ૨૦૪૨માં જે પટ્ટક થયો, તે પટ્ટકમાં સહીઓ થઈ અને ત્યારપછી જુદાં જુદાં કારણોસર સહીઓ કરેલી હોવા છતાં તે સહીઓ કરનારા નીકળી ગયા. આ બધું થયાં પછી જે તેમાં રહ્યા હતા, તેમને | વિચાર આવ્યો કે આપણે કાંઈક કામ કરવું જોઈએ. અને તે માટે તેની પૂર્વભૂમિકારૂપે પહેલાં શાંતિનગર I અમદાવાદમાં પૂ.આ. ઓમકાર સૂરિજી, ચંદ્રોદય સૂરિજી વિગેરે મળ્યા અને નક્કી કર્યું કે આપણે ૨૦૪૨ના પટ્ટકમાં સહીઓ કરનારા મળીએ અને કાંઈ સક્રિય વિચાર કરીએ. તે મુજબ વિ.સં. ૨૦૪૪માં પંકજ સોસાયટીમાં મળવાનું રાખ્યું. આ માટે તેમણે પન્યાસ ચંદ્રશેખર વિજયજી, હિમાંશુ સૂરિજી વિગેરેને બોલાવ્યા. તે વિહાર કરી અમદાવાદ આવ્યા અને ઓમકાર સૂરિજી પણ પાટણ તરફ પ્રતિષ્ઠા વિગેરેનું કાર્ય પતાવી |અમદાવાદ આવ્યા. અમદાવાદ આવ્યા પછી ઓમકારસૂરિજીને લાગ્યું કે વિ.સં. ૨૦૪૨ના પટ્ટકને સ્વીકાર | કરનારા ઉપરાંત પૂ.આ. રામસૂરિજી, પ્રેમસૂરિજી વિગેરે જે છે તે બધાને પણ આમંત્રણ આપવું. અને શાસનનાં બધા પ્રશ્નોની દિલ ખોલીને ચર્ચા કરવી.
1 આ સંબંધમાં પં.ચંદ્રશેખર વિજયજી વિગેરેને ભય હતો કે તાજેતરમાં જ મન દુભાયા છે એટલે İબધાને ભેગા કરવામાં કાંઈ સારું પરિણામ નહિ આવે. પણ ઓમકારસૂરિજી મક્કમ હતા. તેમણે શ્રાવકો દ્વારા | અને પછી પોતે રામસૂરિજી મ.અને પ્રેમસૂરિજીને મળ્યા. ચર્ચામાં ભાગ લેવા આમત્રંણ આપ્યું. આ બધામાં
મુનિ સંમેલન]
[૧૧૩